અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ ભારત-અમેરિકા વર્ષો જૂના સંબંધોમાં તણાવ ઊભો કરી દીધો છે. ટ્રમ્પના ઘમંડ અને નીતિગત ભૂલોના કારણે વિશ્વની મહાસત્તા ધરાવતી અમેરિકા અને અન્ય દેશો સાથેના રાજકીય સંબંધો ખરાબ થયા છે. ટ્રમ્પ સરકારના જ અનેક નેતાઓ અને સાંસદો તેમના આ પગલાંના વિરોધમાં ઉભા છે અને આ દરમિયાન અસરોથી ભારત પર પ્રતિબંધિત ટેરિફ...
Tag: Global Economy
પુતિન: BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મુખ્ય અવરોધ, ચીન સાથે સહયોગ મજબૂત બનાવશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીન પ્રવાસ શરૂ કરતા પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો કડક વિરોધ કરે છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા છે. પુતિને ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધોને સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રશંસા...
ભારત-ચીન સહકાર વૈશ્વિક સ્થિરતા માટે આવશ્યક: જાપાનથી PM મોદીની મોટી ટિપ્પણી
જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (29 ઓગસ્ટ, 2025) ધ યોમિઉરી શિંબુનને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેનો સહકાર વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવવા માટે ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી, પરસ્પર સન્માન, હિત અને સંવેદનશીલતા પર આધારિત રાખીને આગળ...
નોટબંધીના સમયના આરબીઆઈ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલ હવે IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમાયા
કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને આગામી ત્રણ વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે. ડૉ. ઉર્જિત પટેલે 2016માં રઘુરામ રાજન પછી આરબીઆઈના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સરકારે સૌથી મોટો નાણાકીય નિર્ણય — નોટબંધી — અમલમાં મૂક્યો...
ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફ આવતીકાલથી અમલમાં આવશે. આ પગલાથી અમેરિકાએ ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલવાની યોજના જાહેર કરી છે, જેના માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યા છે. ટ્રમ્પના આ ટેરિફ વલણને કારણે આજે (26 ઑગસ્ટ) પીએમઓ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં...
ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત
ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક ચાલીેલી બેઠકમાંથી ભલે કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ક્રૂડ, જેને WTI તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવ 1.80 ટકા...
અમેરિકા પર 37 ટ્રિલિયન ડોલરનું રાષ્ટ્રીય દેવું: દર પાંચ મહિને 1 ટ્રિલિયન ડોલરનો વધારો, વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનું કારણ
વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર માનવામાં આવતું અમેરિકા હાલ રેકોર્ડ સ્તરના દેવામાં સપડાયું છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશનું કુલ રાષ્ટ્રીય દેવું હવે 37 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. ચિંતાજનક બાબત એ છે કે, હવે દર પાંચ મહિને લગભગ 1 ટ્રિલિયન ડોલર જેટલું દેવું વધતું જાય છે. જાન્યુઆરી 2024માં અમેરિકાનું દેવું 34 ટ્રિલિયન...
ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી કે જો ટેરિફ મુદ્દે તેમના ઈકોનોમિક અધિકારોને નબળા પાડવામાં આવશે, તો તે દેશને 1929 જેવી ભયાનક મહામંદી તરફ દોરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ તેમણે વિદેશી વેપારમાં અમેરિકા હિતમાં કેટલાંય નિર્ણયો લીધા છે અને તેની અસર ખૂબ જ સકારાત્મક...
ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર PM મોદીનો પ્રત્યુત્તર: ‘ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘મૃત’ ગણાવ્યું હતું. તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે. તેમણે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને દરેક ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનને અપનાવવું જોઈએ. પીએમ...
ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા: ‘દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર 25% ટેરિફ અને વધારાના દંડની જાહેરાત બાદ ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીએ જણાવ્યું કે ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર તમામ જરૂરી પગલાં ભરશે અને રાષ્ટ્રીય હિત સાથે કોઈ સમજૂતી નહીં કરે. સરકારે નિવેદનમાં કહ્યું છે કે, “ભારત સરકારે હંમેશા ખેડૂતો,...









