Tag: Gujarat News

Home » Gujarat News » Page 4
જાફરાબાદ દરિયામાં મળ્યો વધુ એક માછીમારનો મૃતદેહ, 8 હજુ પણ લાપતા
Post

જાફરાબાદ દરિયામાં મળ્યો વધુ એક માછીમારનો મૃતદેહ, 8 હજુ પણ લાપતા

જાફરાબાદના અરબી સમુદ્રમાં વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે મારો આ અકસ્માતમાં હાલ સુધી ત્રણ માછીમારોના મૃતદેહો મળ્યા છે. મળતી માહિતી મુજબ, જયશ્રી બોટના માછીમાર હરેશ બારૈયાનો (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી) મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ઓળખની કાર્યવાહી માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં હજુ...

અમીરગઢમાં સ્ત્રી વેશ ધારણ કરેલ પુરૂષ મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો પકડાયો
Post

અમીરગઢમાં સ્ત્રી વેશ ધારણ કરેલ પુરૂષ મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો પકડાયો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં એક શખ્સ સ્ત્રી વેશમાં પ્રવેશીને મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતા પકડાયો છે. સમપાંચમના દિવસે બનાસ નદીમાં સ્નાન કરવા માટે ભીડભરેલી જગ્યામાં આ ઘટના સામે આવી હતી. મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને પુરુષ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાઓએ શખ્સને ઓળખી કાઢ્યો અને ગુસ્સે ભરાયેલી લોકોએ તેને...

પાટણમાં ધારાસભ્યના જન્મદિવસ હોર્ડિંગ્સ ઉતારવાના વિવાદે રાજકારણ ગરમાવ્યું
Post

પાટણમાં ધારાસભ્યના જન્મદિવસ હોર્ડિંગ્સ ઉતારવાના વિવાદે રાજકારણ ગરમાવ્યું

પાટણમાં રાજકીય ગરમાવો ફરી એકવાર જોવા મળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના હોર્ડિંગ્સ અને બેનરો ઉતારવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને આવી જતા રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે. માહિતી અનુસાર, ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ...

સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય
Post

સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયા પછી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પૂરતું તે ઓનલાઈન મોડમાં જ રહેશે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી સુધી કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી. વિદ્યાર્થીઓના...

અમદાવાદ સિવિલમાં માનવતા શરમાઈ: માતા-પિતાએ સારવાર દરમિયાન નવજાત બાળક ત્યજી દીધું, મોત બાદ તપાસ શરૂ
Post

અમદાવાદ સિવિલમાં માનવતા શરમાઈ: માતા-પિતાએ સારવાર દરમિયાન નવજાત બાળક ત્યજી દીધું, મોત બાદ તપાસ શરૂ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં નિકોલ વિસ્તારમાં રહેતા દંપતિએ પોતાના નવજાત બાળકને સારવાર દરમિયાન ત્યજી દીધું હતું. હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખીને તેનું ઈલાજ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ કમનસીબે બાળકનું મૃત્યુ થતાં આ બનાવે અરેરાટી મચાવી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દંપતિ પોતાના ચાર દિવસના બાળકને 16 ઓગસ્ટે સારવાર...

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Post

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. અમદાવાદ આગમન બાદ વડાપ્રધાન એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ માર્ગ પર વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ તૈયાર કરાયા છે. રોડ શો પૂર્ણ થયા બાદ નરેન્દ્ર...

સુરતના અડાજણમાં ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ધરાશાયી, અનેક ઈજાગ્રસ્ત અને ભયનો માહોલ
Post

સુરતના અડાજણમાં ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ધરાશાયી, અનેક ઈજાગ્રસ્ત અને ભયનો માહોલ

સુરતમાં ગણેશોત્સવના આગમન પહેલાં શોભાયાત્રાઓનો ભારે ઠાઠમાઠ શરૂ થયો છે, પરંતુ સુરક્ષાની બેદરકારી ભક્તો માટે વિઘ્નરૂપ સાબિત થઈ રહી છે. ગઈકાલે રાત્રે અડાજણ પ્રાઈમ આર્કેડ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા કાઢવામાં આવેલી ગણેશ આગમન યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. સ્ટેજ પર ક્ષમતા કરતાં વધુ લોકો ભેગા થતાં સ્ટેજ અચાનક ધરાશાયી થઈ પડ્યું હતું. આ...

મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ
Post

મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે. હાલ મહી...

જીએસએફસીના બરતરફ કામદારોએ છ મહિનાથી અટકેલા વેતન મુદ્દે ધરણાં યોજ્યા
Post

જીએસએફસીના બરતરફ કામદારોએ છ મહિનાથી અટકેલા વેતન મુદ્દે ધરણાં યોજ્યા

જીએસએફસી કંપનીમાંથી બરતરફ કરાયેલા કામદારોને વેતન ચૂકવવા કોર્ટના આદેશ હોવા છતાં, છેલ્લા છ મહિનાથી વેતન ન મળતાં આજે કામદારો કંપનીના મુખ્ય દરવાજા પાસે ધરણાં પર બેઠા. વર્ષ 2001થી ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીન વિભાગમાં કાર્યરત 105 જેટલા કામદારોને 2020માં બરતરફ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ કોર્ટમાં ગયા બાદ કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને વેતન...

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી દુર્ઘટનામાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું કરુણ મોત
Post

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી દુર્ઘટનામાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું કરુણ મોત

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં જન્માષ્ટમીની ઉજવણી દરમ્યાન બનેલી એક દુર્ઘટનાએ આનંદના માહોલને શોકમાં ફેરવી દીધો. મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન થાંભલો પડતાં એક સગીરનું કરુણ મોત થયું અને બે લોકો ઘાયલ થયા. માહિતી મુજબ, ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મટકી ફોડતી વખતે દોરડું...