ગાંધીનગર: રાજ્ય સરકારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કર્યો હતો. તે સમયે કાંકરેજ અને ધાનેરાને નવો વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરવાનો નિર્ણય લેવાતા સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો હતો. હવે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા 17 તાલુકાઓમાં કાંકરેજ અને ધાનેરાનો સમાવેશ યથાવત બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવ્યો છે, જેને પગલે બંને તાલુકાના...
Tag: Gujarat Politics
ગુજરાત સરકારે લોકસ્વરાજ્ય ચૂંટણી પૂર્વે 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપી
ગાંધીનગર: લોકસ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાને કેબિનેટ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ પગલાંથી વહીવટમાં પેદા થયેલી બિનઝરૂરી તકલીફ દૂર થશે અને પ્રજાને નજીકના તાલુકા મથકોથી ઝડપી...
અમિત શાહે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી, મહાનગર પાલિકા ચૂંટણીને લઇને ચર્ચા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે રાજકોટની મુલાકાતે ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર અને જિલ્લા સંગઠનના આગેવાનો સહિત માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં પાર્ટી જોગવાઈ અને આંતરિક જૂથવાદને કાબૂમાં રાખવા ઉપરાંત આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી....
ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપે 6 સભ્યોને સસ્પેન્ડ કર્યા, ધારાસભ્યની પેનલના સભ્યો પણ સામેલ
આગામી 19 સપ્ટેમ્બરે યોજાનારી ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપમાં રાજકારણ ગરમાવી ગયું છે. પાર્ટીએ ચૂંટણી પહેલા 6 સભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા સભ્યો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સભ્યોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સસ્પેન્ડ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી...
પાટીદાર અનામત આંદોલન કેસમાં હાર્દિક પટેલ માટે મુશ્કેલી વધી, કોર્ટમાં ગેરહાજરી બાદ બીજીવાર ધરપકડ વોરન્ટ
પાટીદાર અનામત આંદોલન સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધુ વધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટએ કડક વલણ અપનાવતા હાર્દિક પટેલ વિરુદ્ધ બીજીવાર ધરપકડ વોરન્ટ બહાર પાડ્યું છે. કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેવા છતાં ન્યાયિક પ્રક્રિયાનો સામનો ન કરતાં આ પગલું લેવામાં આવ્યું છે. આ કેસની અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ સુનાવણી દરમિયાન પણ હાર્દિક પટેલ...
મહેસાણા: ધારાસભ્યના ફોન પર નાયબ ઈજનેરે કહ્યું, ખાડા નહીં પૂરાય, ઓડિયો વાયરલ
મહેસાણામાં સરકારી અધિકારીઓની મનમાની સામે ફરી એકવાર મામલો સામે આવ્યો છે. કડીના ભાજપ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લોકોની હાજરીમાં નાયબ ઈજનેર ઓજસ પટેલને ખાડા પૂરવા ફોન કર્યો, પરંતુ અધિકારીએ સીધું કહ્યું કે, ખાડા નહીં પૂરાય. ધારાસભ્યએ પહેલા અધિકારીને લેખિતમાં અરજી આપવા કહ્યું, પરંતુ નાયબ ઈજનેર દ્વારા સીધું ના કહેતા વાતચીતમાં તણાવ સર્જાયો. ઘટના અંગેમાં જણાવાયું છે...
નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર
નડિયાદ નગરપાલિકામાં ગુરુવારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની હતી અને પરિસ્થિતિ છૂટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાએ પાલિકાના વાતાવરણમાં અફરાતફરી મચાવી હતી. મળતી માહિતી મુજબ બંને પક્ષના કાર્યકરો પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા માટે નગરપાલિકા કચેરીએ એકઠા થયા હતા. રજૂઆત...
હાર્દિક પટેલ સામે ધરપકડ વોરન્ટ: 2018ના ઉપવાસ આંદોલન કેસમાં કોર્ટનો કડક વલણ
પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા એક મહત્વના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, વર્ષ 2018માં હાર્દિક પટેલે સરકાર સામે દબાણ બનાવવા ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું, જેમાં કાયદો અને વ્યવસ્થા ભંગ થવાના આક્ષેપ સાથે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો...
વાપી શહેર કોંગ્રેસનો આક્રોશ: રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું, તાળાબંધીની ચિમકી
વાપી: ત્રણ વર્ષ બાદ પણ રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ અધૂરું રહેતા લોકોની ભારે હાલાકી સામે વાપી શહેર કોંગ્રેસે મંગળવારે મોરચો કાઢ્યો અને પીડબ્લ્યુ વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. કોંગ્રેસે ચેતવણી આપી કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કચેરીને તાળાબંધી કરવામાં આવશે. ત્રણ વર્ષ પહેલાં વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતો જુનો રેલવે ફ્લાય ઓવર તોડી...
ગુજરાતમાં મોટો રાજકીય વળાંક: 500થી વધુ લોકોએ આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ઝટકો
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં આમ આદમી પાર્ટી (AAP)નું વિશાળ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની ભાજપમાંથી ડીસ્ચાર્જ થયા બાદ જિલ્લાની પંચાયત ઉપપ્રમુખ અને બે વાર તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ પોતાનો પક્ષ છોડ્યો અને પોતાના સમર્થકો સાથે AAPમાં જોડાયા. આ પ્રસંગે આજુબાજુના ગામોના ભૂતપૂર્વ સરપંચો, ડેપ્યુટી સરપંચો,...









