મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલીમોરા અને વાપી સ્થિત 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે, અને હાલમાં આંતરિક સજાવટ અને સ્ટેશન સુવિધાઓ જેવી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્ટેશનો શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે વિશિષ્ટ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યા...
અંબાજી મહામેળા યાત્રીઓ માટે એસ.ટી. નિગમ દોડાવશે 5500 વધારાની બસો
ગુજરાતના અંબાજીમાં યોજાવનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડે છે. તેમને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ પૂરો પાડવા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે માત્ર 5100 વધારાની બસો દ્વારા 10.92 લાખ યાત્રીઓને સેવા પૂરી પાડી હતી. આ...
અંબાજી મેળામાં યાત્રાળુઓ માટે ઐતિહાસિક 10 કરોડનો વીમો
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો યાત્રીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટે આ વર્ષે 10 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. આ વીમો ગત વર્ષના કવરેજની તુલનામાં ત્રણ ગણો વધુ છે. વીમા અંતર્ગત કોઈ પણ યાત્રાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળશે. વિમાની...
દિલ્હી સીએમ રેખા ગુપ્તા પર હુમલો: આરોપી રાજેશ ખીમજી હિન્દુ ધર્મનો હોવાનું ખુલ્યું
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઑગસ્ટ 2025ના રોજ સિવિલ લાઇન્સ સ્થિત સત્તાવાર નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ રાજકીય ગલિયારામાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, રેખા ગુપ્તા લોકોની અરજીઓ સાંભળી રહ્યા હતા ત્યારે રાજકોટના રહેવાસી 41 વર્ષીય રાજેશ ખીમજીએ અરજી...
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ
રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો...
જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર
ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,...
રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે....
જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન
સતત ઘટી રહી છે. પ્રાકૃતિક કૃષિમાં સેન્દ્રીય કાર્બનનું શું મહત્વ છે? જમીનમાં સેન્દ્રીય કાર્બન જમીનના સારા સ્વાસ્થ્યનું એક મુખ્ય તત્વ છે. અને આબોહવા પરિવર્તન, ખોરાક અને પોષણની અસુરક્ષાઓ અને અન્ય પર્યાવરણીય ચિંતાઓ સામેન લડવા માટેનું એક નવું શસ્ત્ર છે. પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન હોય છે. સેન્દ્રીય કાર્બન વિશે જાણો...








