ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન ઋષભ પંત હાલ ગંભીર ઈજાને કારણે ક્રિકેટ મેદાનથી દૂર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથી ટેસ્ટ મેચમાં ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમતાં તે ફ્રેક્ચરનો ભોગ બન્યો હતો. ઈજાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે પંત મેદાન પર ઊભો રહી શકતો નહોતો અને તેને મીની એમ્બ્યુલન્સની મદદથી બહાર લઈ જવામાં આવ્યો...
Tag: india news gujarati
અમદાવાદમાં 885 ભાવિકોની ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા પૂર્ણ, રિવરફ્રન્ટ પર થશે ભવ્ય પારણાંનો કાર્યક્રમ
જૈન સમાજના ચાતુર્માસ દરમિયાન અમદાવાદમાં ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા યોજાઈ રહી છે, જેમાં 885 ભાવિકોએ સામૂહિક માસક્ષમણ કરીને અનોખી પ્રેરણા આપી છે. આ પ્રસંગે તપસ્વીઓનો ભવ્ય વરઘોડો યોજાયો હતો અને હવે 15 ઓગસ્ટ, શુક્રવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર પારણાંનું ભવ્ય આયોજન કરાયું છે. સવારે 8:30 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં શહેર સહિત સમગ્ર જૈન સમાજને આમંત્રણ આપવામાં...
એશિયા કપમાં શ્રેયસ અય્યરને તક મળે તો બની શકે ટીમ ઈન્ડિયાનો ગેમ ચેન્જર, IPLમાં બતાવ્યું કૌશલ્ય
શ્રેયસ અય્યર, જે એક સમયે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અવિભાજ્ય ભાગ હતો, છેલ્લા કેટલાક સમયથી પોતાની જગ્યા પક્કી કરવામાં નિષ્ફળ રહ્યો છે. 2023માં ઈજા બાદ રિકવરી કરીને તેણે ઘણીવાર વાપસી કરી, પરંતુ તે સતત ટીમમાં રહી શક્યો નથી. વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થતાં તેને 2024માં વન-ડે ટીમમાં તક મળી હતી, પરંતુ ટેસ્ટ અને T20માં હજુ પણ...
ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી
મહેસાણા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 156 ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સુધારેલ જંત્રી દર પ્રમાણે વળતર ચુકવવા ખેડૂતોની મુખ્ય માંગ છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય...
જશોદાનગરમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન હંગામો, મહિલાનો આત્મવિલોપન પ્રયાસ અને પથ્થરમારો
અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન ભારે હંગામો સર્જાયો. એસ્ટેટ વિભાગની ટીમ જયશ્રી સોસાયટી નજીક રોડ પર આવેલી દુકાનો તોડવા પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો. આ દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સુરક્ષા કાફલો તૈનાત કર્યો....
થાઈલેન્ડ-કંબોડિયા સરહદી યુદ્ધ યથાવત્: મૃત્યાંક 27, કંબોડિયાએ યુદ્ધવિરામની માંગ કરી
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે હવે યુદ્ધનું રૂપ ધારણ કરી લીધું છે. અત્યાર સુધીમાં બંને તરફથી કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. તેમાં કંબોડિયાના 15 અને થાઈલેન્ડના 12 લોકોના મોત થયા છે. આ લડાઈમાં ફાઈટર જેટ, તોપગોળા અને જમીની સેનાની પણ સામેલગી નોંધાઈ રહી છે. બોર્ડર વિસ્તારમાં તણાવ વધતો જ જઈ રહ્યો...





