આજના ડિજિટલ યુગમાં ભલે લોકો UPIનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા હોય, પરંતુ રોકડ વ્યવહાર હજી પૂરેપૂરો બંધ થયો નથી. રોકડ વ્યવહારોમાં પણ હવે નવો પ્રકારનો કૌભાંડ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાના બંડલમાં કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે. વિડિયોમાં એક વ્યક્તિ 50 હજાર...
Tag: India News
જેનિફર મિસ્ત્રીનો દાવો: દિલીપ જોશીએ અસિત મોદીને કોલર પકડી લીધો, થયો હતો મોટો ઝઘડો
પ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. આ શોના પ્રોડ્યુસર અસિત મોદી છે, જ્યારે દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. શોમાં મિસિસ રોશનના રોલમાં દેખાયેલી જેનિફર મિસ્ત્રીએ હવે ચોંકાવનારો દાવો કર્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જેનિફરે જણાવ્યું કે, હોંગકોંગ ટૂર દરમિયાન દિલીપ જોશી અને અસિત...
અંડર-15 ટેબલ ટેનિસ ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓની ધમાકેદાર જીત
સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર-15 કેટેગરીની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અદિત્ય દાસે અંડર-15 બોયઝની રોમાંચક ફાઇનલમાં મહારાષ્ટ્રના અનસીડીડ નિલય પાટેકરને 3-2થી હરાવી ખિતાબ જીતી લીધો. બીજી તરફ, પશ્ચિમ બંગાળની સેકન્ડ સીડ અંકોલિકા ચક્રવર્તીએ અંડર-15 ગર્લ્સની ફાઇનલમાં મહારાષ્ટ્રની ટોચની સીડ નૈશા રેવાસ્કરને 3-0થી હરાવી સરળ જીત મેળવી....
કિશ્તવાડમાં ભયાનક ક્લાઉડબર્સ્ટ: 33ના મોત, 200થી વધુ ગુમ, ગામ કાટમાળમાં દફન
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે બપોરે ભયાનક કુદરતી હોનારત સર્જાઈ હતી. ચિશોતી ગામમાં આભ ફાટતાં આખું ગામ પૂરના પાણીમાં તણાઈ ગયું અને 33 લોકોના મોત થયા જ્યારે 200થી વધુ લોકો ગુમ છે. આ ઘટનાથી લોકોની વર્ષોની મહેનત ક્ષણોમાં કાટમાળમાં દફનાઈ ગઈ. મચેલ માતાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા ત્યારે અચાનક આભ ફાટતાં આંખના પલકારામાં જળબંબાકાર...
ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન
ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત કરી છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ થાય છે. દર વર્ષે રાજ્ય સરકાર આ પુરસ્કાર શિક્ષણ ક્ષેત્રે પ્રેરક યોગદાન આપનારા...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂરથી ભારે વિનાશ: 30થી વધુના મોત, 200થી વધુ ગુમ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં વાદળ ફાટ્યાના કારણે વિનાશક પૂર આવ્યું છે. ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક થયેલા આભ ફાટવાના કારણે અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું હતું, જેના કારણે હાલત ગંભીર બની ગઈ હતી. અત્યાર સુધી 30થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જેમાં CISFના 2 જવાનો પણ સામેલ છે. ઉપરાંત 100થી વધુ...
ઓપરેશન સિંદૂરમાં શૌર્ય ચક્રથી વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ સન્માનિત, 52 જવાનોને વીરતા પુરસ્કાર
79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવનાર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવસર પર ભારતીય વાયુસેનાના 36 અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 16 જવાનોને તેમની બહાદુરી અને અતુલ્ય સાહસ માટે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી...
પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત વિરોધી નિવેદનો આપે છે: રણધીર જયસ્વાલ
ભારતે પાકિસ્તાનના નેતૃત્વ પર તીખો પ્રહાર કરતાં કહ્યું છે કે તે પોતાની ખામીઓ પરથી ધ્યાન હટાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું કે પાકિસ્તાન માટે આ નવી બાબત નથી. પોતાના આંતરિક નિષ્ફળતાઓને ઢાંકવા માટે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને દ્વેષભર્યા નિવેદનો આપવાનું તેનું જૂનું હથિયાર છે....
જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર
ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,...








