નવરાત્રિ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મુક્યો. પીએમ મોદીએ કહ્યું કે આજે, જાણતા કે અજાણતાં, ઘણી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, જેને દૂર કરી શકતા નથી, પરંતુ તેનો ત્યાગ કરવો જરૂરી છે. તેમણે લોકોને પ્રેરણા આપી કે આપણા ઘરો અને જીવનમાં...
Tag: Indian Economy
GST બચત મહોત્સવ 2025: PM મોદીએ નવરાત્રી સાથે નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી
પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રી 2025ની શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2025થી નવા GST દર લાગૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સુધારાઓના અમલથી દેશના દરેક વર્ગને લાભ મળશે અને લોકો તેમના પસંદગીના માલખંડો વધુ સરળતાથી ખરીદી શકશે. તેમણે નોંધ્યું કે નવા GST સુધારાઓ માત્ર કરની વ્યવસ્થા જ સુધારશે નહીં, પરંતુ...
PM નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને કરશે સંબોધન, GSTના નવા દર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 21 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યે દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધિત કરશે. અનુમાન છે કે તેઓ GSTના નવા દર અંગે વિગતવાર માહિતી આપી શકે છે. આવતીકાલથી એટલે કે 22 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં નવા GST દરો લાગુ થવાના છે. સરકાર દ્વારા અનેક ચીજવસ્તુઓ પર GSTના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર...
ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો બંને પક્ષો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. આ કરારને ઔપચારિક રીતે બ્રોડ-બેઝ્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે, જેની શરૂઆત 2007માં થઈ હતી. કરારનો મુખ્ય હેતુ માલ અને સેવાઓના વેપાર, રોકાણ, બૌદ્ધિક સંપદા અધિકારો, સરકારી ખરીદી અને સ્પર્ધા નીતિ...
નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીએસટીમાં વ્યાપક સુધારાનો અમલ આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતા (૨૨ સપ્ટેમ્બર)થી શરૂ થશે. આ સુધારા ખાસ કરીને મહિલાઓ એટલે કે માતૃશક્તિ માટે લાભદાયક બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, સમય સાથે પરિવર્તન વિના ભારતને વૈશ્વિક સ્તરે યોગ્ય સ્થાન અપાવવું શક્ય નથી, તેથી જ આ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે....
‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી. ચિદમ્બરમે X પર...
“GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ
નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.” નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા...
‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા
નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને...
PM મોદીએ લોન્ચ કરી ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટ્રમ્પના ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર નિવેદન આપતાં, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે, જે 6.5 ટકાના અંદાજ કરતાં વધુ અને ગયા વર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધારે છે....
નોટબંધીના સમયના આરબીઆઈ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલ હવે IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમાયા
કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને આગામી ત્રણ વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે. ડૉ. ઉર્જિત પટેલે 2016માં રઘુરામ રાજન પછી આરબીઆઈના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સરકારે સૌથી મોટો નાણાકીય નિર્ણય — નોટબંધી — અમલમાં મૂક્યો...









