Indian Railways Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-railways/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 15:20:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian Railways Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-railways/ 32 32 વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી https://www.gujaratinside.com/2025/09/23/vande-bharat-sleeper-train-launch-october/ https://www.gujaratinside.com/2025/09/23/vande-bharat-sleeper-train-launch-october/#respond Tue, 23 Sep 2025 15:10:29 +0000 https://www.gujaratinside.com/?p=19968 દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડતી જોવા મળશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન ત્યારે શરૂ થશે જ્યારે બીજી ટ્રેન પણ રેગ્યુલર સર્વિસ માટે તૈયાર થઈ જશે. અધિકારીઓની જાણકારી મુજબ એક ટ્રેન પહેલેથી જ તૈયાર છે અને તેનું ટ્રાયલ દિલ્હીના શકુરબસ્તી કોચિંગ ડેપોમાં સફળતાપૂર્વક પૂર્ણ...

The post વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડતી જોવા મળશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન ત્યારે શરૂ થશે જ્યારે બીજી ટ્રેન પણ રેગ્યુલર સર્વિસ માટે તૈયાર થઈ જશે.

અધિકારીઓની જાણકારી મુજબ એક ટ્રેન પહેલેથી જ તૈયાર છે અને તેનું ટ્રાયલ દિલ્હીના શકુરબસ્તી કોચિંગ ડેપોમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

મંત્રીએ જણાવ્યું કે બીજી ટ્રેનનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને 15 ઓક્ટોબર 2025 સુધી તેને તૈયાર કરવાની આશા છે. બંને ટ્રેન તૈયાર થયા બાદ જ વંદે ભારત સ્લીપરને ઓક્ટોબરમાં જ લોન્ચ કરવામાં આવશે.

જોકે, હજુ સુધી ટ્રેન કયા રૂટ પર દોડશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે આરંભમાં નવી દિલ્હી અને પટના વચ્ચે દોડવાની શક્યતા છે, ખાસ કરીને બિહારમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની તૈયારીના કારણે.

વંદે ભારત સ્લીપર ટ્રેન વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં સામેલ છે અને તેનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે ટ્રાયલ 180 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પર સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

તે ઉપરાંત, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પંજાબ અને હરિયાણામાં નવનિર્મિત રેલવે પ્રોજેક્ટ્સ અંગે પણ માહિતી આપી.

રાજપુરા-મોહાલી 18 કિલોમીટર લાંબી લાઈન ચંદીગઢને અંબાલા-અમૃતસર મુખ્યલાઈન સાથે જોડશે. દિલ્હીફિરોઝપુર રૂટ પર વંદે ભારત ટ્રેનની દોડ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે ફરીદકોટ, ભટિંડા, ધુરી, પટિયાલા, અંબાલા, કુરૂક્ષેત્ર અને પાનીપત સ્ટેશનોને આવરીને 486 કિ.મીનું અંતર માત્ર 6 કલાક 40 મિનિટમાં કાપશે.

 

The post વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/vande-bharat-sleeper-train-launch-october/feed/ 0
રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર https://www.gujaratinside.com/2025/09/20/rail-neer-water-bottle-price-reduced-indian-railways/ https://www.gujaratinside.com/2025/09/20/rail-neer-water-bottle-price-reduced-indian-railways/#respond Sat, 20 Sep 2025 15:29:26 +0000 https://www.gujaratinside.com/?p=19742 ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલયે જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પેકેજ્ડ પાણીની બોટલના ભાવ ઘટાડવામાં આવશે. 1 લીટર રેલ નીરની બોટલ, જે પહેલા રૂપિયા 15માં મળતી હતી, હવે રૂપિયા 14માં મળશે, જ્યારે 500 એમએલની બોટલનો ભાવ રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 કરવામાં...

The post રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલયે જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પેકેજ્ડ પાણીની બોટલના ભાવ ઘટાડવામાં આવશે.

1 લીટર રેલ નીરની બોટલ, જે પહેલા રૂપિયા 15માં મળતી હતી, હવે રૂપિયા 14માં મળશે, જ્યારે 500 એમએલની બોટલનો ભાવ રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 કરવામાં આવ્યો છે.

મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, આ ઘટાડેલા ભાવ રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં વેચાતી અન્ય બ્રાન્ડની પેકેજ્ડ પાણીની બોટલો પર પણ લાગુ થશે. આ પગલાથી મુસાફરોને પાણી માટે વધારાના પૈસા ચૂકવવા નહીં પડે અને પ્રવાસ દરમિયાન તેમને સસ્તું અને શુદ્ધ પાણી ઉપલબ્ધ રહેશે.

આ જાહેરાત GST 2.0 લાગુ થવા પૂર્વે કરવામાં આવી છે. નવા GST સિસ્ટમમાં ફક્ત બે સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28%ના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે.

આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ અને બ્રેડ પર ટેક્સ ઘટાડીને 0% અથવા 5% કરવામાં આવ્યો છે. જીવનરક્ષક દવાઓ પરનો ટેક્સ પણ 12%થી ઘટાડીને 0% અથવા 5% કરવામાં આવ્યો છે, જેનાથી સારવાર વધુ સસ્તી બનશે.

રેલ નીરની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે IRCTC તેના મહારાષ્ટ્રના અંબરનાથ સ્થિત પ્લાન્ટની ક્ષમતા લગભગ બમણી કરવા તૈયાર છે. આ પ્લાન્ટ દરરોજ આશરે 1.74 લાખ લીટર પેકેજ્ડ પાણીનું ઉત્પાદન કરે છે અને મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના મુસાફરોને પાણી પૂરું પાડે છે.

 

The post રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/rail-neer-water-bottle-price-reduced-indian-railways/feed/ 0
મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/ https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/#respond Sat, 13 Sep 2025 05:29:28 +0000 https://www.gujaratinside.com/?p=19288 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો. મોદીએ જણાવ્યું...

The post મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો.

Mizoram gets its first railway line connecting capital Aizawl. Key details  - India Today

મોદીએ જણાવ્યું કે આજનો દિવસ માત્ર મિઝોરમ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હવે આઇઝોલને ભારતના રેલ્વે નકશામાં સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે તેઓ આઇઝોલના લમ્મુઆલ ગ્રાઉન્ડ પર જઈ શક્યા ન હતા, પરંતુ લેંગપુઈ એરપોર્ટ પરથી જ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.

અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે વડાપ્રધાનને હેલિકોપ્ટર મારફતે મુસાફરી શક્ય ન હતી. તેમ છતાં, તેમણે એરપોર્ટ પરથી જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી લોકોને સંબોધ્યા.

મિઝોરમ બાદ વડાપ્રધાન મણિપુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ 8,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

 

The post મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/feed/ 0
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર માત્ર ટિકિટધારકોને જ એન્ટ્રી, ટ્રાયલનો બીજો તબક્કો શરૂ https://www.gujaratinside.com/2025/08/22/new-delhi-railway-station-ticket-holders-entry-rule/ https://www.gujaratinside.com/2025/08/22/new-delhi-railway-station-ticket-holders-entry-rule/#respond Fri, 22 Aug 2025 04:35:09 +0000 https://www.gujaratinside.com/?p=16933 નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે એક નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ રહી છે. રેલવે બોર્ડના સૂચન મુજબ, સ્ટેશન પરિસરમાં હવે માત્ર માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. આ પગલું અનરિઝર્વ્ડ કોચમાં વધતી ભીડ પર નિયંત્રણ મેળવવા માટે લેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ ટ્રાયલ એક મહિના સુધી ચાલશે અને કડક...

The post નવી દિલ્હી રેલવે સ્ટેશન પર માત્ર ટિકિટધારકોને જ એન્ટ્રી, ટ્રાયલનો બીજો તબક્કો શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે એક નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ રહી છે. રેલવે બોર્ડના સૂચન મુજબ, સ્ટેશન પરિસરમાં હવે માત્ર માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. આ પગલું અનરિઝર્વ્ડ કોચમાં વધતી ભીડ પર નિયંત્રણ મેળવવા માટે લેવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, આ ટ્રાયલ એક મહિના સુધી ચાલશે અને કડક સુરક્ષા વચ્ચે હાથ ધરાશે. ટ્રાયલ દરમિયાન, દરેક અનરિઝર્વ્ડ કોચ માટે માત્ર 150 ટિકિટ જારી કરવામાં આવશે. ટિકિટ મર્યાદા પૂરી થતાં પછી વધુ ટિકિટ આપવામાં નહીં આવે. આ માટે CRIS (સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ) દ્વારા સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યું છે.

હાલમાં એક અનરિઝર્વ્ડ કોચમાં સરેરાશ 300થી 400 મુસાફરો મુસાફરી કરે છે, જ્યારે માત્ર 80 બેઠકો જ હોય છે. ફેબ્રુઆરીમાં નવી દિલ્હી સ્ટેશન પર થયેલા અકસ્માત બાદ સ્ટેશનની ભીડ નિયંત્રિત કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓ માને છે કે આ પગલું તહેવારો દરમિયાન વ્યવસ્થા સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

The post નવી દિલ્હી રેલવે સ્ટેશન પર માત્ર ટિકિટધારકોને જ એન્ટ્રી, ટ્રાયલનો બીજો તબક્કો શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/new-delhi-railway-station-ticket-holders-entry-rule/feed/ 0
રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/ https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/#respond Thu, 21 Aug 2025 13:38:56 +0000 https://www.gujaratinside.com/?p=16874 રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન...

The post રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન પર વધારાનો ચાર્જ લેવામાં આવશે. પરંતુ વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તે દાયકાઓ પહેલાંથી નક્કી કરાયેલા નિયમ મુજબ છે અને તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જુદા જુદા કોચ માટે મફત સામાનની મર્યાદા અલગ છે — ફર્સ્ટ ક્લાસ એસી માટે 70 કિલો, એસી સેકન્ડ ક્લાસ માટે 50 કિલો અને થર્ડ એસી તેમજ સ્લિપર ક્લાસ માટે 40 કિલો સુધી મફત મર્યાદા છે. જો તેનાથી વધારે સામાન હશે તો બુકિંગ કરાવવું પડશે. ઉપરાંત, જનરલ ટિકિટ પર મુસાફરી કરતી વખતે મફત મર્યાદા 35 કિલો સુધી રહેશે.

ઉત્તર રેલવે અને ઉત્તર-મધ્ય રેલવેએ લખનૌ, પ્રયાગરાજ સહિતના કેટલાક સ્ટેશનો પર સામાનના વજન ચકાસવા માટે ઈલેક્ટ્રોનિક લગેજ મશીન લગાવવાની યોજના જાહેર કરી હતી. જો બેગના કદમાં અતિરેક હશે તો દંડ વસૂલવાનો પણ ઉલ્લેખ અહેવાલોમાં કરવામાં આવ્યો હતો.

જોકે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ તમામ અહેવાલોને રદ કરી સ્પષ્ટ કર્યું છે કે કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા નથી અને મુસાફરો પર વધારાના સામાન માટે કોઈ દંડ લાગુ નહીં થાય.

 

The post રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/feed/ 0
ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ https://www.gujaratinside.com/2025/08/19/indian-railways-new-luggage-rules-extra-baggage-charges/ https://www.gujaratinside.com/2025/08/19/indian-railways-new-luggage-rules-extra-baggage-charges/#respond Tue, 19 Aug 2025 12:35:07 +0000 https://www.gujaratinside.com/?p=16721 ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. હવે ટ્રેન મુસાફરી દરમ્યાન વિમાન જેવી લગેજ પોલિસી અમલમાં આવશે. જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશે તો તેમને દંડ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ નિયમો માત્ર કાગળ પર હતા, પરંતુ હવે રેલવે મંત્રાલય તેને કડકાઈથી લાગુ કરવાની યોજના બનાવી...

The post ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. હવે ટ્રેન મુસાફરી દરમ્યાન વિમાન જેવી લગેજ પોલિસી અમલમાં આવશે. જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશે તો તેમને દંડ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ નિયમો માત્ર કાગળ પર હતા, પરંતુ હવે રેલવે મંત્રાલય તેને કડકાઈથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.

મફત લગેજ મર્યાદા પ્રમાણે, ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરતી વ્યક્તિ 70 કિગ્રા સુધીનો સામાન લઈ જઈ શકે છે. એસી સેકન્ડ ક્લાસ માટે મર્યાદા 50 કિગ્રા છે, જ્યારે થર્ડ એસી અને સ્લીપર ક્લાસ માટે 40 કિગ્રા સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો માટે આ મર્યાદા માત્ર 35 કિગ્રા છે. મર્યાદા કરતાં વધુ સામાન માટે ચાર્જ વસૂલવામાં આવશે.

આ નિયમનો અમલ શરૂઆતમાં લખનૌ, પ્રયાગરાજ, કાનપુર, અલીગઢ જેવા ટોચના રેલવે સ્ટેશનો પર કરવામાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, વધુ સામાન કોચમાં હલન-ચલનમાં અવરોધ ઉભો કરે છે અને મુસાફરોને મુશ્કેલી પડે છે, એટલા માટે આ નિયમ જરૂરી છે.

રેલવે સ્ટેશનો પર એરપોર્ટ જેવી લગેજ બુકિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગનું વજન મર્યાદા કરતાં વધુ હોય અને બુકિંગ ન કરાવ્યું હોય તો દંડ લાદવામાં આવશે. સાથે જ મુસાફરોને વધારાના 10 કિગ્રા સામાન લઈ જવાની છૂટ મળશે, પણ તેનાથી વધુ સામાન બુક કરાવવો પડશે.

રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક લગેજ મશીન સ્થાપિત કરાશે, જેના દ્વારા મુસાફરોના સામાનનું વજન અને કદ ચકાસવામાં આવશે. જો બેગની સાઈઝ મર્યાદા કરતાં વધારે હશે તો દંડ લાદવામાં આવશે, ભલે વજન ઓછી હોય. આ નિયમ મુસાફરોની સુવિધા અને સલામતી માટે અમલમાં લાવવામાં આવી રહ્યો છે.

 

The post ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/indian-railways-new-luggage-rules-extra-baggage-charges/feed/ 0
જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે https://www.gujaratinside.com/2025/08/14/janmashtami-special-train-vadodara-dakor-western-railway/ https://www.gujaratinside.com/2025/08/14/janmashtami-special-train-vadodara-dakor-western-railway/#respond Thu, 14 Aug 2025 13:43:57 +0000 https://www.gujaratinside.com/?p=16271 જન્માષ્ટમી તહેવાર અને સતત રજાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા-ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા થી આ ટ્રેન 16 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11:15 કલાકે ડાકોર પહોંચશે. પાછી ડાકોર-વડોદરા સ્પેશિયલ ટ્રેન 17 ઓગસ્ટે રાત્રે 2 વાગ્યે ડાકોરથી...

The post જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જન્માષ્ટમી તહેવાર અને સતત રજાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા-ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા થી આ ટ્રેન 16 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11:15 કલાકે ડાકોર પહોંચશે. પાછી ડાકોર-વડોદરા સ્પેશિયલ ટ્રેન 17 ઓગસ્ટે રાત્રે 2 વાગ્યે ડાકોરથી ઉપડશે અને વહેલી સવારે 3:30 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેનને આણંદ અને ઉમરેઠ સ્ટેશનો પર બંને દિશામાં સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

 

The post જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/janmashtami-special-train-vadodara-dakor-western-railway/feed/ 0