જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે બપોરે ભયાનક કુદરતી હોનારત સર્જાઈ હતી. ચિશોતી ગામમાં આભ ફાટતાં આખું ગામ પૂરના પાણીમાં તણાઈ ગયું અને 33 લોકોના મોત થયા જ્યારે 200થી વધુ લોકો ગુમ છે. આ ઘટનાથી લોકોની વર્ષોની મહેનત ક્ષણોમાં કાટમાળમાં દફનાઈ ગઈ. મચેલ માતાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા ત્યારે અચાનક આભ ફાટતાં આંખના પલકારામાં જળબંબાકાર...
