narendra modi Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/narendra-modi/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 13:58:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png narendra modi Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/narendra-modi/ 32 32 GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો https://www.gujaratinside.com/2025/09/22/gst-2-0-nirmala-sitharaman-message-to-traders/ https://www.gujaratinside.com/2025/09/22/gst-2-0-nirmala-sitharaman-message-to-traders/#respond Mon, 22 Sep 2025 15:00:56 +0000 https://www.gujaratinside.com/?p=19885 દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે. નિર્મલા સીતારમણે...

The post GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી.

આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે.

નિર્મલા સીતારમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલો “નાગરિક દેવો ભવ” સંદેશ સરકાર માટે માર્ગદર્શક છે.

તેમણે સમજાવ્યું કે અગાઉ ભારતના રાજ્યોમાં જુદા જુદા ટેક્સને કારણે વેપારીઓને અનેક મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ GST લાગુ થયા પછી એક જ ટેક્સ સિસ્ટમથી વ્યવસાયમાં પારદર્શિતા અને સરળતા આવી છે.

તેમણે યાદ અપાવ્યું કે 2017માં GST લાગુ પડ્યો હતો, પરંતુ 2019ની ચૂંટણી અને પછીના COVID-19 રોગચાળાને કારણે મોટા સુધારા શક્ય નહોતા.

ચૂંટણી બાદ વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ નવા સુધારાઓનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો અને GST કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયો. નવા સુધારાથી 375થી વધુ રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.

અગાઉના 5%, 12%, 18% અને 28%ના દરને ઘટાડીને હવે માત્ર બે સ્લેબ – 5% અને 18% – રાખવામાં આવ્યા છે.

નવા GST સુધારાથી મોટાભાગની રોજિંદી વસ્તુઓ હવે 5%ના સ્લેબમાં આવતાં હોવાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજો ઘટ્યો છે અને ગ્રાહકો માટે જીવનયાપન વધુ સહેલું બન્યું છે.

નાણાપ્રધાને વેપારીઓને ગ્રાહકો પ્રત્યે આદર રાખવા અને ગ્રાહક કેન્દ્રિત વ્યવહાર કરવાની અપીલ કરી.

 

The post GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/gst-2-0-nirmala-sitharaman-message-to-traders/feed/ 0
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂક્યો https://www.gujaratinside.com/2025/09/21/modi-urges-use-of-swadeshi-products/ https://www.gujaratinside.com/2025/09/21/modi-urges-use-of-swadeshi-products/#respond Sun, 21 Sep 2025 14:50:30 +0000 https://www.gujaratinside.com/?p=19821 નવરાત્રિ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મુક્યો. પીએમ મોદીએ કહ્યું કે આજે, જાણતા કે અજાણતાં, ઘણી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, જેને દૂર કરી શકતા નથી, પરંતુ તેનો ત્યાગ કરવો જરૂરી છે. તેમણે લોકોને પ્રેરણા આપી કે આપણા ઘરો અને જીવનમાં...

The post વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂક્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવરાત્રિ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મુક્યો.

પીએમ મોદીએ કહ્યું કે આજે, જાણતા કે અજાણતાં, ઘણી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, જેને દૂર કરી શકતા નથી, પરંતુ તેનો ત્યાગ કરવો જરૂરી છે. તેમણે લોકોને પ્રેરણા આપી કે આપણા ઘરો અને જીવનમાં સ્વદેશી ઉત્પાદનોનો પ્રત્યેક ભાગ સમાવવો જોઈએ.

પીએમ મોદીએ સ્વદેશી વસ્તુઓ ખરીદવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો અને કહ્યું, “ગર્વથી કહો કે હું સ્વદેશી ઉત્પાદનો ખરીદું છું અને વેચું છું. આ અભિગમ દરેક ભારતીયમાં બનવો જોઈએ. જ્યારે આવું થશે, ત્યારે ભારત ઝડપથી વિકાસ કરશે.”

તેમણે રાજ્ય સરકારોને પણ આત્મનિર્ભર ભારત અભિયાન અને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો, સાથે જ જણાવ્યું કે દેશમાં જે કંઈપણ બનાવી શકાય છે તે દેશમાં જ બનાવવું જોઈએ.

વડાપ્રધાન મોદીએ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને કેન્દ્ર-રાજ્ય સહકાર દ્વારા વિકાસને વેગ આપવા રાષ્ટ્રને અનુરોધ કર્યો.

તેમણે કહ્યું કે આ પ્રયાસો સાથે ભારતના વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. પીએમ મોદીએ આ સંબોધનનું અંતરાષ્ટ્રીય બચત મહોત્સવની શુભેચ્છાઓ પાઠવીને કર્યું.

The post વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂક્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/modi-urges-use-of-swadeshi-products/feed/ 0
ટ્રમ્પનો સૂર બદલાયો: “હું ભારત અને મોદીની ખૂબ નજીક છું”, ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો પણ કર્યો દાવો https://www.gujaratinside.com/2025/09/19/donald-trump-claims-close-to-india-modi-stopped-india-pakistan-war/ https://www.gujaratinside.com/2025/09/19/donald-trump-claims-close-to-india-modi-stopped-india-pakistan-war/#respond Fri, 19 Sep 2025 04:29:06 +0000 https://www.gujaratinside.com/?p=19581 ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનો સૂર બદલ્યો છે. અગાઉ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની આકરી ટીકા કરનાર ટ્રમ્પે હવે યુનાઈટેડ કિંગડમના પ્રવાસ દરમિયાન જણાવ્યું કે તેઓ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત સાથેના તેમના સંબંધો “ખાસ” છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે...

The post ટ્રમ્પનો સૂર બદલાયો: “હું ભારત અને મોદીની ખૂબ નજીક છું”, ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો પણ કર્યો દાવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનો સૂર બદલ્યો છે. અગાઉ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની આકરી ટીકા કરનાર ટ્રમ્પે હવે યુનાઈટેડ કિંગડમના પ્રવાસ દરમિયાન જણાવ્યું કે તેઓ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીક છે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત સાથેના તેમના સંબંધો “ખાસ” છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે યુરોપિયન દેશો પર રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ કડક ટીકાઓ કરી છે.

તાજેતરમાં જ તેમણે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જે દર્શાવે છે કે તેઓ ભારત સાથેના સંબંધોને મહત્વ આપી રહ્યા છે.

યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે જ આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું અટકાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું, “અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોક્યું.

આ માત્ર વેપાર માટે હતું. અમે કહ્યું કે જો તમે અમારી સાથે વેપાર કરવા માંગતા હો, તો તમારે સાથે આવવું પડશે.” ટ્રમ્પનો આ દાવો પહેલાથી જ ચર્ચામાં રહ્યો છે.

ટ્રમ્પે યુક્રેન-રશિયા યુદ્ધને લઈને નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે રશિયાને કરાર માટે મજબૂર કરવા માટે વૈશ્વિક સ્તરે તેલના ભાવ ઘટાડવા એ શ્રેષ્ઠ રસ્તો છે. સાથે જ તેમણે યુરોપિયન દેશો પર પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ હજુ પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, જ્યારે અમેરિકા તેમને સમર્થન આપવા પ્રયત્ન કરી રહ્યું છે.

ટ્રમ્પે ચીન સામે પણ કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી પરંતુ સાથે કહ્યું કે જ્યારે સાથી દેશો જ રશિયા પાસેથી તેલ ખરીદે છે, ત્યારે આ લડાઈ મુશ્કેલ બને છે.

ટ્રમ્પના આ નવા નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તેઓ ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે અને ભવિષ્યમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા ઇચ્છુક છે.

 

The post ટ્રમ્પનો સૂર બદલાયો: “હું ભારત અને મોદીની ખૂબ નજીક છું”, ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો પણ કર્યો દાવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/donald-trump-claims-close-to-india-modi-stopped-india-pakistan-war/feed/ 0
મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/ https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/#respond Sat, 13 Sep 2025 05:29:28 +0000 https://www.gujaratinside.com/?p=19288 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો. મોદીએ જણાવ્યું...

The post મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો.

Mizoram gets its first railway line connecting capital Aizawl. Key details  - India Today

મોદીએ જણાવ્યું કે આજનો દિવસ માત્ર મિઝોરમ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હવે આઇઝોલને ભારતના રેલ્વે નકશામાં સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે તેઓ આઇઝોલના લમ્મુઆલ ગ્રાઉન્ડ પર જઈ શક્યા ન હતા, પરંતુ લેંગપુઈ એરપોર્ટ પરથી જ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.

અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે વડાપ્રધાનને હેલિકોપ્ટર મારફતે મુસાફરી શક્ય ન હતી. તેમ છતાં, તેમણે એરપોર્ટ પરથી જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી લોકોને સંબોધ્યા.

મિઝોરમ બાદ વડાપ્રધાન મણિપુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ 8,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

 

The post મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/feed/ 0
ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી https://www.gujaratinside.com/2025/09/11/india-mauritius-trade-local-currency-economic-ties/ https://www.gujaratinside.com/2025/09/11/india-mauritius-trade-local-currency-economic-ties/#respond Thu, 11 Sep 2025 11:06:22 +0000 https://www.gujaratinside.com/?p=19133 ભારત અને મોરિશિયસ વચ્ચે હવે લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર શક્ય બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના આર્થિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત બનશે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ પોતાના...

The post ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને મોરિશિયસ વચ્ચે હવે લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર શક્ય બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના આર્થિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત બનશે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપારને મંજૂરી આપવાની સહમતિ આપી છે. વડાપ્રધાન મોદીએ યાદ અપાવ્યું કે ગયા વર્ષે મોરિશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાઓ શરૂ થયા બાદ આ આગળનું મહત્વપૂર્ણ પગલું છે.

હવે બંને દેશોના નાગરિકો અને વેપારીઓ સરળતાથી લોકલ કરન્સીમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે. મોરિશિયસના વડાપ્રધાનની ભારત મુલાકાત દરમિયાન તેમનું વારાણસીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચાગોસ કરાર સંપન્ન થવા પર બંને દેશોએ પરસ્પર શુભેચ્છા પાઠવી હતી.

ખાસ આર્થિક પેકેજ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
વડાપ્રધાન મોદીએ મોરિશિયસ માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે, જેમાં 500 બેડની સર સીવુસગુર રામગુલમ નેશનલ હોસ્પિટલ, વેટરનિટી સ્કૂલ, એનિમલ હોસ્પિટલ અને આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સ જેવા પ્રોજેક્ટ માટે ફંડ ફાળવવામાં આવશે.

આ પ્રોજેક્ટ્સથી મોરિશિયસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે, રોજગારીની તકો વધશે અને હેલ્થકેર સુવિધાઓમાં સુધારો થશે.

એનર્જી ટ્રાન્ઝીશન સહકાર
બંને દેશો વચ્ચે એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ પણ મજબૂત કરવામાં આવી છે. ભારત મોરિશિયસને કુલ 100 ઈલેક્ટ્રિક બસ આપશે, જેમાંથી 10 બસોનો સપ્લાય થઈ ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ ટમરિન્ડ ફોલ્સ ખાતે 17.5 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય આપવાની ખાતરી આપી છે.

 

The post ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/india-mauritius-trade-local-currency-economic-ties/feed/ 0
ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/ https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/#respond Wed, 10 Sep 2025 03:09:11 +0000 https://www.gujaratinside.com/?p=18962 અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં...

The post ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા આતુર છે.

ટ્રમ્પે પોતાના પોસ્ટમાં લખ્યું હતું કે, “મને ખુશી છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધોને દૂર કરવા અંગે મંત્રણા ચાલી રહી છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે આ ચર્ચા બંને મહાન દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ અને સફળ નિષ્કર્ષ સુધી પહોંચશે.”

ટ્રમ્પની આ પોસ્ટને તરત જ પ્રતિસાદ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના અભિપ્રાય જાહેર કર્યા. મોદીએ કહ્યું કે, “ભારત અને અમેરિકા ઘનિષ્ઠ ભાગીદાર છે. વેપાર અવરોધોને દૂર કરવા અંગેની ચાલી રહેલી ચર્ચા બંને દેશોની ભાગીદારીને નવી દિશા આપશે. મને વિશ્વાસ છે કે બંને દેશોની ટીમો જલદીથી જલદી ચર્ચા પૂર્ણ કરશે અને તે આપણા લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરશે. હું પણ અમેરિકન પ્રમુખ સાથે વાતચીત કરવા આતુર છું.”

આ પોસ્ટ્સ બાદ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને લઈને ચાલી રહેલા મતભેદો હવે હળવા થઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જો આવનારા સમયમાં બંને દેશો વેપાર અવરોધોને દૂર કરવામાં સફળ થશે તો તે દ્વિપક્ષીય વેપારમાં ભારે વૃદ્ધિ લાવી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટેકનોલોજી, રક્ષા, કૃષિ અને સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્રોમાં બંને દેશો એકબીજાના અગત્યના ભાગીદાર રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેરિફ અને નીતિ સંબંધિત મુદ્દાઓને કારણે તણાવ સર્જાયો હતો. હવે ટ્રમ્પના તાજેતરના નિવેદન અને મોદીના સકારાત્મક પ્રતિસાદને કારણે બંને દેશોની વચ્ચે વિશ્વાસ અને સહકારની નવી શરૂઆત થઈ શકે છે.

The post ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/#respond Tue, 09 Sep 2025 05:58:54 +0000 https://www.gujaratinside.com/?p=18840 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. બેઠકમાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે બધા એક છીએ અને એક રહીશું. અમારી ઇચ્છા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”

આ ચૂંટણીમાં બિજૂ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, પંજાબના સ્વતંત્ર સાંસદો સરબજીત સિંહ ખાલસા (ફરીદકોટ) અને અમૃતપાલ સિંહ (ખડૂર સાહિબ) એ પણ મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી અંગે જણાવ્યું કે, “આ મત અંતરાત્મા પર આધારિત છે. ભાજપ લોકોનો ઉપયોગ કરીને પછી તેમને બરબાદ કરે છે. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ એવું જ બન્યું હતું. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.”

લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે, જેમાં જીત માટે 392 મત જરૂરી છે. હાલની સંખ્યાબળની સ્થિતિ જોતા NDA પાસે 425 સાંસદોનું સમર્થન છે (લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132). એટલે કે, નંબરગેમમાં NDAની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/feed/ 0
ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/ https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/#respond Sat, 06 Sep 2025 10:15:43 +0000 https://www.gujaratinside.com/?p=18561 ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે...

The post ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. છતાં ચિંતાની કોઈ વાત નથી, કારણ કે ક્યારેક આવો સમય આવી શકે છે.”

પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે ભારતના રશિયા સાથેના તેલ વેપારને લઈને અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ભારત રશિયાથી ભારે પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, જેના કારણે અમેરિકાને પચાસ ટકા જેટલો ટેરિફ લગાવવો પડ્યો. તેમ છતાં, મોદી સાથેના તેમના સંબંધ સારા હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું.

થોડા સમય પહેલાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અમેરિકા “ભારત અને રશિયાને ગુમાવીને ચીન તરફ ધકેલી રહ્યું છે.” તેમણે મોદી, પુતિન અને શી જિનપિંગની સાથેની તસવીર પણ પોસ્ટ કરી હતી.

ટ્રમ્પના નિવેદન પહેલાં તેમના વરિષ્ઠ સલાહકાર પીટર નવારોએ પણ ભારત પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી ને નફો કમાઈ રહ્યું છે અને આ રીતે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને આર્થિક સહારો આપી રહ્યું છે.

 

 

The post ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/feed/ 0
નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી https://www.gujaratinside.com/2025/09/05/new-gst-reforms-benefit-women-navratri/ https://www.gujaratinside.com/2025/09/05/new-gst-reforms-benefit-women-navratri/#respond Fri, 05 Sep 2025 04:34:44 +0000 https://www.gujaratinside.com/?p=18426 નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીએસટીમાં વ્યાપક સુધારાનો અમલ આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતા (૨૨ સપ્ટેમ્બર)થી શરૂ થશે. આ સુધારા ખાસ કરીને મહિલાઓ એટલે કે માતૃશક્તિ માટે લાભદાયક બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, સમય સાથે પરિવર્તન વિના ભારતને વૈશ્વિક સ્તરે યોગ્ય સ્થાન અપાવવું શક્ય નથી, તેથી જ આ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે....

The post નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીએસટીમાં વ્યાપક સુધારાનો અમલ આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતા (૨૨ સપ્ટેમ્બર)થી શરૂ થશે. આ સુધારા ખાસ કરીને મહિલાઓ એટલે કે માતૃશક્તિ માટે લાભદાયક બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, સમય સાથે પરિવર્તન વિના ભારતને વૈશ્વિક સ્તરે યોગ્ય સ્થાન અપાવવું શક્ય નથી, તેથી જ આ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ યાદ અપાવ્યું કે ૧૫ ઑગસ્ટે લાલકિલ્લાથી પોતાના સંબોધનમાં તેમણે આત્મનિર્ભર ભારત માટે “નેક્સ્ટ જનરેશન રિફોર્મ” લાવવાની જાહેરાત કરી હતી. હવે નવા જીએસટી સુધારાથી સામાન્ય જનતા માટે જરૂરી વસ્તુઓ પર ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.

મોદીએ જણાવ્યું કે આ સુધારાઓને કારણે ધનતેરસ અને દિવાળીની ઉજવણી વધુ આનંદમય બનશે. તેમણે ઉમેર્યું કે જીએસટી ૨.૦ દેશ માટે સપોર્ટ અને ગ્રોથનો ડબલ ડોઝ છે, જે ગરીબ, નીચલા મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મહિલાઓ સહિત દરેક વર્ગને સીધો લાભ આપશે. યુવાનો માટે ફિટનેસ ક્ષેત્રની સેવાઓ જેમ કે જિમ, સલૂન અને યોગ પર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે.

વડાપ્રધાને અગાઉની સરકારોને આડે હાથ લેતા કહ્યું કે, કોંગ્રેસના સમયમાં સામાન્ય સામાનથી લઈને દવા અને જીવન વીમા સુધી ભારે ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો તે જ પરિસ્થિતિ આજે હોત તો નાગરિકોને ૧૦૦ રૂપિયાની વસ્તુ પર ૨૦-૨૫ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડ્યો હોત. નવા સુધારા ભારતના અર્થતંત્રને વધુ સરળ, પારદર્શક અને વિકાસમુખી બનાવશે એમ મોદીએ જણાવ્યું.

 

The post નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/new-gst-reforms-benefit-women-navratri/feed/ 0
મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત https://www.gujaratinside.com/2025/09/05/manipur-peace-deal-highway-reopens/ https://www.gujaratinside.com/2025/09/05/manipur-peace-deal-highway-reopens/#respond Fri, 05 Sep 2025 04:18:32 +0000 https://www.gujaratinside.com/?p=18421 નવી દિલ્હી : મણિપુરમાં ગયા બે વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસા અને તનાવ વચ્ચે હવે શાંતિ સ્થાપવાના પ્રયાસો સફળ થયા છે. કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF)એ ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારમાં મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવીને રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા પર ભાર મૂકાયો છે....

The post મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી : મણિપુરમાં ગયા બે વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસા અને તનાવ વચ્ચે હવે શાંતિ સ્થાપવાના પ્રયાસો સફળ થયા છે. કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF)એ ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારમાં મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવીને રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા પર ભાર મૂકાયો છે.

આ સમજૂતી પછી રાજ્યની જીવનરેખા ગણાતા નેશનલ હાઇવે-2 ફરી ખુલ્યો છે, જેના કારણે મણિપુરના નાગરિકોને દૈનિક જરૂરિયાતોની પુરવઠામાં મોટી રાહત મળી છે.

બન્ને સંગઠનોએ પોતાના શસ્ત્રો કેન્દ્રીય દળો અને BSFને સોંપવાની સંમતિ આપી છે અને શાંતિ જાળવવામાં સહયોગ આપવાની ખાતરી આપી છે. કેન્દ્ર સરકારે પણ તેમના વિસ્તારોમાંથી વિદેશી તત્વોને બહાર કાઢવા પગલાં લેવાની વાત કરી છે.

ગયા વર્ષે 3 મે, 2023થી મૈતેઈ સમુદાયે શેડ્યુલ્ડ ટ્રાઇબનો દરજ્જો માંગતા અને તેના વિરોધમાં કૂચ પછી મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધી 260થી વધુ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા હતા.

હવે ત્રિપક્ષીય કરાર (ગૃહ મંત્રાલય, મણિપુર સરકાર, KNO અને UPF વચ્ચે) “સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO)” હેઠળ અમલમાં આવશે, જે એક વર્ષ સુધી માન્ય રહેશે. કરારમાં વાતચીત દ્વારા હલ શોધવાનો અને રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપવાનો માર્ગ થયો છે.

પ્રતિબદ્ધતા મુજબ, કુકી-ઝો કાઉન્સિલ ભારત સરકારની સુરક્ષા દળો સાથે મળીને નેશનલ હાઇવે-2 પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખશે, જેથી રાજ્યમાં લોકોની દૈનિક જરૂરિયાતો સમયસર પહોંચી શકે.

 

The post મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/manipur-peace-deal-highway-reopens/feed/ 0