ઈટાનગર: નવરાત્રિના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ભવ્ય પર્વતો વચ્ચે શૈલપુત્રીના દર્શન કર્યા અને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ માત્ર ઉગતા સૂર્યની ધરતી જ નહીં પરંતુ દેશભક્તિ અને બહાદુરીનું પ્રતિક છે. “જે રીતે તિરંગાનો પ્રથમ રંગ ભગવો છે, તેવી જ રીતે અરુણાચલનો પ્રથમ રંગ પણ...
Tag: Navratri 2025
રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નવા મધ્યમ વર્ગ અને GST સુધારાઓ અંગે દેશવાસીઓને માહિતી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના તહેવારની શરૂઆત પહેલા રાષ્ટ્રજોગ સંબોધન કરી દેશના નાગરિકોને ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારાઓના ફાયદા અને મહત્વ વિશે જાણકારી આપી. સંબોધનમાં વડાપ્રધાને નવા મધ્યમ વર્ગનું ઉલ્લેખ કર્યો, જે તાજેતરમાં ગરીબીમાંથી ઉપર ઉઠેલા એવા સામાજિક-આર્થિક સમૂહને દર્શાવે છે, જે સારું શિક્ષણ, રોજગાર અને સ્વાસ્થ્ય સેવાઓની અપેક્ષા રાખે છે, પરંતુ હજુ સુધી...
GST બચત મહોત્સવ 2025: PM મોદીએ નવરાત્રી સાથે નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી
પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રી 2025ની શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2025થી નવા GST દર લાગૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સુધારાઓના અમલથી દેશના દરેક વર્ગને લાભ મળશે અને લોકો તેમના પસંદગીના માલખંડો વધુ સરળતાથી ખરીદી શકશે. તેમણે નોંધ્યું કે નવા GST સુધારાઓ માત્ર કરની વ્યવસ્થા જ સુધારશે નહીં, પરંતુ...
નવરાત્રિ 2025: મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ, પોલીસ અને ગૃહરાજ્ય મંત્રીએ સુનિશ્ચિત કરેલી સુરક્ષા વ્યવસ્થા
આવતીકાલથી માં દુર્ગાની આરાધનાનું પાવન પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યું છે. ખિલૈયાઓ ગરબા રમવાના ઉત્સાહ સાથે તૈયારીઓમાં લાગી ગયા છે, જ્યારે ભારે વરસાદની આગાહી હોવા છતાં ગરબા રમવાનો ઉત્સાહ જોરદાર જોવા મળ્યો છે. અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહરાજ્ય મંત્રીએ મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ સુનિશ્ચિત કરી છે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ વર્ષે...
વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવરાત્રીના એક દિવસ પહેલાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. વરસાદને કારણે વાઘોડિયાની મુખ્ય સડકો તેમજ નાની ભાગોળ અને ઈન્દ્રપુરી જેવા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ગરબા આયોજકો...
નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ
અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો...
અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નવરાત્રિની ધૂમ શરૂ થવા જઈ રહી છે, જેમાં નિકોલ, નરોડા, વટવા, વસ્ત્રાલથી ઓઢવ સુધીની સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રહેવાસીઓ ભેગા મળી પરંપરાગત શેરી ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરશે. આ વર્ષે ઉજવણીમાં માત્ર આનંદ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને સાઇબર સુરક્ષાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે. નરોડાની પાયલ પાર્ક સોસાયટીમાં...
અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર
અમદાવાદમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા આયોજન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, દરેક આયોજકને ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ઓનલાઈન અરજી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને તેની હાર્ડ કોપી ઈવેન્ટના ત્રણ દિવસ અગાઉ જમાલપુર ફાયર સ્ટેશન...
નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી
અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા,...








