Shreyas Iyer Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/shreyas-iyer/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 22 Aug 2025 15:07:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Shreyas Iyer Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/shreyas-iyer/ 32 32 શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન https://www.gujaratinside.com/2025/08/22/shreyas-iyer-odi-captain-bcci-clarification/ https://www.gujaratinside.com/2025/08/22/shreyas-iyer-odi-captain-bcci-clarification/#respond Fri, 22 Aug 2025 15:07:24 +0000 https://www.gujaratinside.com/?p=16983 નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટેસ્ટ ફોર્મેટમાં મોટો બદલાવ આવ્યો છે. રોહિત શર્મા અને કોહલીની ગઇકાલની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યું હતું. જ્યારે T20 ટીમ માટે એશિયા કપ માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન રિપોર્ટ્સમાં આવી હતી કે વનડે ટીમ માટે...

The post શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટેસ્ટ ફોર્મેટમાં મોટો બદલાવ આવ્યો છે. રોહિત શર્મા અને કોહલીની ગઇકાલની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યું હતું. જ્યારે T20 ટીમ માટે એશિયા કપ માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ દરમિયાન રિપોર્ટ્સમાં આવી હતી કે વનડે ટીમ માટે રોહિતની જગ્યાએ શ્રેયસ અય્યર આગામી સિરીઝમાં કેપ્ટન બની શકે છે. જોકે, BCCIના સચિવ દેવજીત સાઈકયાએ આ સમાચારને ખોટા અને અફવા ગણાવ્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વનડે કેપ્ટનશિપ અંગે હજુ કોઈ ચર્ચા અને અંતિમ નિર્ણય લેવાયો નથી.

શ્રેયસ અય્યર વનડેમાં છેલ્લાં ઘણા વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ઘરેલુ ક્રિકેટ તેમજ IPLમાં પણ સારી કેપ્ટનશિપ કરી છે. તેમના પર વનડે કેપ્ટન બનવાની શક્યતા વધારવામાં આવી હતી, પરંતુ BCCIનું માનવું છે કે T20 અને વનડે બંને ફોર્મેટમાં ટીમ માટે શુભમન ગિલ વધુ યોગ્ય વિકલ્પ છે. 25 વર્ષના ગિલને T20 વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેથી એક જ કેપ્ટન ત્રણેય ફોર્મેટમાં ટીમના મજબૂત નેતૃત્વ માટે આગળ આવે.

સિલેક્શન કમિટી આગામી સમયમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ફોર્મેટ માટેના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. રિપોર્ટ મુજબ, રોહિતની ઉંમર 38 વર્ષ છે અને આગામી વર્લ્ડ કપ દરમિયાન 40 વર્ષનો થઈ જશે, જેને કારણે બોર્ડને શંકા છે કે તેઓ 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ફિટ રહી શકશે કે નહીં.

 

The post શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/shreyas-iyer-odi-captain-bcci-clarification/feed/ 0
એશિયા કપમાં શ્રેયસ અય્યરને તક મળે તો બની શકે ટીમ ઈન્ડિયાનો ગેમ ચેન્જર, IPLમાં બતાવ્યું કૌશલ્ય https://www.gujaratinside.com/2025/08/14/shreyas-iyer-asia-cup-chance-game-changer-for-team-india/ https://www.gujaratinside.com/2025/08/14/shreyas-iyer-asia-cup-chance-game-changer-for-team-india/#respond Thu, 14 Aug 2025 09:37:54 +0000 https://www.gujaratinside.com/?p=16193 શ્રેયસ અય્યર, જે એક સમયે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અવિભાજ્ય ભાગ હતો, છેલ્લા કેટલાક સમયથી પોતાની જગ્યા પક્કી કરવામાં નિષ્ફળ રહ્યો છે. 2023માં ઈજા બાદ રિકવરી કરીને તેણે ઘણીવાર વાપસી કરી, પરંતુ તે સતત ટીમમાં રહી શક્યો નથી. વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થતાં તેને 2024માં વન-ડે ટીમમાં તક મળી હતી, પરંતુ ટેસ્ટ અને T20માં હજુ પણ...

The post એશિયા કપમાં શ્રેયસ અય્યરને તક મળે તો બની શકે ટીમ ઈન્ડિયાનો ગેમ ચેન્જર, IPLમાં બતાવ્યું કૌશલ્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શ્રેયસ અય્યર, જે એક સમયે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અવિભાજ્ય ભાગ હતો, છેલ્લા કેટલાક સમયથી પોતાની જગ્યા પક્કી કરવામાં નિષ્ફળ રહ્યો છે. 2023માં ઈજા બાદ રિકવરી કરીને તેણે ઘણીવાર વાપસી કરી, પરંતુ તે સતત ટીમમાં રહી શક્યો નથી. વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થતાં તેને 2024માં વન-ડે ટીમમાં તક મળી હતી, પરંતુ ટેસ્ટ અને T20માં હજુ પણ તેની એન્ટ્રી બાકી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરે સ્પષ્ટ કહ્યું છે કે હાલ અય્યરને ટેસ્ટ ટીમમાં જગ્યા નથી, પરંતુ T20 માટે તેના નામ પર ચર્ચા તેજ છે.

અય્યરે IPL, મુંબઈ T20 લીગ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તે માત્ર શાનદાર બેટ્સમેન જ નથી, પણ સફળ કેપ્ટન તરીકે પણ પોતાની છાપ છોડી છે. ભારત માટે 51 T20I રમી ચૂક્યા બાદ પણ 2023થી તે બહાર છે, પરંતુ એશિયા કપમાં તક મળી તો તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

IPL 2025માં શ્રેયસ અય્યરે 50.33ની એવરેજ સાથે 604 રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 175 હતો. તેણે આ સીઝનમાં 6 અડધી સદી ફટકારી હતી, સાથે 43 ચોગ્ગા અને 39 છગ્ગા ફટકાર્યા હતા. તેની લીડરશીપ સ્કિલ્સ પણ ચર્ચામાં રહી, જેમાં તેણે મુંબઈને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતાડીને કેપ્ટન તરીકે સફળતા મેળવી.

ટીમ ઈન્ડિયામાં અય્યર કયા નંબર પર રમશે એ પ્રશ્ન મહત્વનો છે. હાલમાં સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર સ્થિર છે, ચોથા પર તિલક વર્મા છે, ત્યારબાદ રિંકૂ સિંહ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે આવે છે. અય્યર માટે નંબર 5 પર તક મળવાની શક્યતા છે. તે ધીમી પિચ પર શાનદાર રમે છે અને સ્પિનર્સ સામે અસરકારક છે, સાથે જ હવે તે ફાસ્ટ બોલરો સામે પણ આત્મવિશ્વાસ ધરાવે છે.

જો શ્રેયસ અય્યરને એશિયા કપમાં તક મળે અને તે પોતાની IPL ફોર્મ ફરી બતાવે, તો તે માત્ર એશિયા કપ માટે નહીં પરંતુ 2026ના દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ માટે પણ ટીમ ઈન્ડિયાનો મોટો હથિયાર બની શકે છે.

 

The post એશિયા કપમાં શ્રેયસ અય્યરને તક મળે તો બની શકે ટીમ ઈન્ડિયાનો ગેમ ચેન્જર, IPLમાં બતાવ્યું કૌશલ્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/shreyas-iyer-asia-cup-chance-game-changer-for-team-india/feed/ 0