વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. શરૂમાં ત્રણ મૃતદેહ મળ્યા હતા, બાદમાં વધુ પાંચ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 8એ પહોંચ્યો છે.

નદીમાં ખાબક્યા ટ્રક, બોલેરો અને બાઈક

પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટનાના સમયે બ્રિજ પર એક ટ્રક, બોલેરો અને બાઈક સહિત કુલ પાંચ વાહનો હતા. એક ટ્રક તો બ્રિજના તૂટેલા હિસ્સા પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો, જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક તંત્ર હરકતમાં, રાજકીય પ્રતિસાદ

આ દુર્ઘટનાની જાણ થતા વડોદરા જિલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે જઈ સંપૂર્ણ વિગતો આપી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ઘટનાનું વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું હતું અને તંત્રને તાત્કાલિક પગલા લેવા અપીલ કરી હતી. તેમણે ટ્રાફિકના મુદ્દાને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા તંત્રને તાકીદ પણ કરી. હાલ મોટી સંખ્યામાં વાહનો અટવાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે.

મહત્વપૂર્ણ બ્રિજ, દાયિત્વની ઉદાસીનતા?

ગંભીરા બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ છે. આ બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લાને પણ જોડે છે. તેથી, તેની તૂટી પડેલી હાલત સરકારે અવગણ્યા હોવાના પ્રશ્નો ઉભા કરી રહી છે. દુર્ઘટનાની જગ્યાએ એક મહિલા પોતાની બાઈક છોડીને પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાનું પ્રયત્ન કરતી પણ નજરે પડી હતી, જે ઘટનાની ગંભીરતા અને લાગણીશીલતા દર્શાવે છે.

હાલ રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે અને તંત્ર તરફથી વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.