અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી

અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ફાયર વિભાગની બે ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને હાલ ત્રણેય યુવકોની શોધખોળ ચાલી રહી છે. ફાયર અધિકારીઓએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને તાકીદે બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે.

સમાન સમય દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીમાં ચાર યુવકો ડૂબી ગયા. સ્થાનિક લોકો અને બચાવકાર્યકર્તાઓએ તુરંત ત્રણ લોકોને બચાવી લીધા, જ્યારે એક યુવકનું દુર્ઘટનામાં મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધર્યું અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્વામા આવ્યો.

આ બંને ઘટનાઓ ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે થવા પામી હતી અને લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. અધિકારીઓએ જાહેર કર્યું છે કે લોકોએ તળાવો અને નદીઓ નજીક સાવધાની રાખવી.

Leave a Reply

Your email address will not be published.