Day: September 3, 2025

રીવા જિલ્લામાં 25 લાખમાં બનેલું તળાવ ગાયબ! શોધી લાવનારને ઈનામ મળશે
Post

રીવા જિલ્લામાં 25 લાખમાં બનેલું તળાવ ગાયબ! શોધી લાવનારને ઈનામ મળશે

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ₹25 લાખના ખર્ચે બનેલું તળાવ જ ગાયબ થઈ ગયું છે. આ ખુલાસો એક RTI દ્વારા થયો છે. મળેલી માહિતી અનુસાર, ‘અમૃત સરોવર’ યોજના હેઠળ 9 ઓગસ્ટ, 2023ના રોજ પૂર્વા મનીરામ ગામના કઠૌલી વિસ્તારમાં જમીન નંબર 117 પર તળાવ બનાવાયું હોવાનો દાવો છે. પરંતુ હકીકતમાં ત્યાં...

મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, છગન ભુજબળે કર્યો કેબિનેટ બેઠકનો બહિષ્કાર
Post

મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, છગન ભુજબળે કર્યો કેબિનેટ બેઠકનો બહિષ્કાર

મહારાષ્ટ્ર સરકાર દ્વારા માન્ય મરાઠા સમાજના લોકોને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાની તૈયારીને પગલે સરકારમાં આંતરિક વિખવાદના સંકેતો મળી રહ્યા છે. એનસિપીનાં વરિષ્ઠ મંત્રી છગન ભુજબળે આ નિર્ણયનો વિરોધ કરતાં કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનો એલાન કર્યો છે. બીજી તરફ, વિપક્ષ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસે ઓબીસી નેતાઓની બેઠક છ સપ્ટેમ્બરના રોજ બોલાવી છે. ભુજબળે સ્પષ્ટ કર્યું છે કે...

હવે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના લઘુમતી સમુદાયો પાસપોર્ટ વિના ભારતમાં રહી શકશે
Post

હવે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના લઘુમતી સમુદાયો પાસપોર્ટ વિના ભારતમાં રહી શકશે

કેન્દ્ર સરકારે ઇસ્લામિક દેશોમાં ધાર્મિક અત્યાચારનો સામનો કરીને ભારતમાં આશ્રય લેનારા લઘુમતી સમુદાયો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે નવા ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025 અંતર્ગત જણાવ્યું છે કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમાજના લોકો, જેઓ 31 ડિસેમ્બર 2024 પહેલાં ભારતમાં પ્રવેશ્યા છે, તેઓને હવે...

દાણીલીમડામાં મ્યુનિસિપલ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત, પાલકોમાં રોષ
Post

દાણીલીમડામાં મ્યુનિસિપલ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત, પાલકોમાં રોષ

અમદાવાદના દાણીલીમડામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મરણની ઘટના સામે આવી છે. કોર્પોરેશનની બેદરકારીથી આ મોત થયા હોવા મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીએ એવો દાવો કર્યો છે કે, મરણ પામેલ પશુઓ કુદરતી કારણોથી મૃત્યુ પામ્યા છે. પોસ્ટમોર્ટમ દરમિયાન એક આખલાની હોજરીમાંથી 12 કિલોગ્રામ પ્લાસ્ટિક મળી...

અંબાજી ભાદરવી પૂનમ: બીજા દિવસે 3.58 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી અનુભવી ધન્યતા
Post

અંબાજી ભાદરવી પૂનમ: બીજા દિવસે 3.58 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી અનુભવી ધન્યતા

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂથી જ ભવ્યતા અને ભક્તિ ભાવ સાથે ઉજવાયો. મહામેળાના બીજા દિવસે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ જગત જનની ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લીધો. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના માર્ગો પર પદયાત્રીઓની ભારે ભીડ જોઈ શકાય છે. બે દિવસમાં કુલ 7.29 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના પાવન ચરણોમાં...

રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ
Post

રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ

રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે અને આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારાં, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવર માટે યલો એલર્ટ જાહેર છે. કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે...

ભારતનો પહેલો 32-બિટ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 લોન્ચ
Post

ભારતનો પહેલો 32-બિટ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 લોન્ચ

નવી દિલ્હી: ભારતે પોતાની પ્રથમ સ્વદેશી વિક્રમ-32 બિટ માઇક્રોપ્રોસેસર ચિપ તૈયાર કરી છે. સેમીકોન ઇન્ડિયા 2025ના સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિપના લોન્ચિંગના પ્રસંગે કહ્યું કે, એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં બનેલી નાની ચિપ સમગ્ર વિશ્વમાં મોટું પરિવર્તન લાવશે. સમ્મેલનમાં કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને વિક્રમ-32 બિટ પ્રોસેસર અને ચાર સેમીકન્ડક્ટર પ્રોજેક્ટના ટેસ્ટ...

આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા
Post

આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા

નવી દિલ્હી: આજ થી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડવા અને જીએસટી સુધારાઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં, તમામ રાજ્યોના નાણા પ્રધાનો સાથે બેઠક કરશે. સૂત્રો અનુસાર, કેન્દ્ર 1૨ અને 28 ટકાના સ્લેબને દૂર કરીને 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ...

પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ
Post

પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ

ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. હાલ પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ છે. અત્યાર સુધીમાં 1,000 થી વધુ ગામો પૂરથી...

સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો
Post

સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ વીતી ગયા છે. હવે આ ઘટનાનો એક નવો CCTV વીડિયો સામે આવ્યો છે, જે શાળાની બેદરકારીનો પુરાવો આપે છે. વીડિયોમાં નયન હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં શાળાના ગેટમાંથી અંદર પ્રવેશતો જોવા મળે છે. તે પોતાના પેટ પર હાથ દબાવી રાખે છે જ્યાં બોક્સ કટરથી ઈજા...