નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર વધતી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જયશંકરે શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્ત્વ આપે છે અને બંને દેશો સતત સંપર્કમાં છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ભારતને “મિત્ર” કહીને સંબોધ્યા...
Day: September 6, 2025
BCCIએ ફરી ચોંકાવ્યા, શ્રેયસ અય્યરને ઈન્ડિયા-એ ટીમનો કેપ્ટન બનાવ્યો, ધ્રૂવ જુરૈલને મોટી જવાબદારી
India A Team Captain Shreyas Iyer: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં શ્રેયસ ઐયરને સામેલ કરવામાં આવ્યો નથી. તેને સ્ટેન્ડબાય ખેલાડીઓમાં પણ સ્થાન મળ્યું નથી, જેથી કેટલાક ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શ્રેયસે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું, 17 મેચમાં 604 રન બનાવ્યા. આવી સ્થિતિમાં એશિયા...
VIDEO: રોહિત શર્માએ ફેન્સ સામે હાથ જોડવા પડ્યાં, ગણપતિના દર્શન વખતે એવું તો શું થયું?
Rohit Sharma Stops Fans From Chanting: ભારતીય ક્રિકેટર રોહિત શર્માના ફેન્સની યાદી લાંબી છે. પરંતુ ગણપતિ પંડાલમાં તેમણે જે કર્યું તે જાણ્યા પછી, તેમના પ્રત્યે તમારો આદર વધુ વધશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમા ‘હિટમેન’ રોહિત શર્મા બાપ્પાની પૂજામાં મગ્ન જોવા મળે છે. આ દરમિયાન તેમના કેટલાક ફેન્સ ‘મુંબઈ કા...
ટીમ ઈન્ડિયાને ગાવસ્કરની મહત્ત્વની સલાહ, કહ્યું – ‘સંજુ સેમસનને રિઝર્વમાં ન રાખી શકાય’
Asia Cup 2025: એશિયા કપ 2025 માટે ભારતીય ખેલાડીઓ 4 સપ્ટેમ્બરના રોજ દુબઈ પહોંચી ગયા છે. આ ટૂર્નામેન્ટ માટે સંજુ સેમસનને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન માટે ભારતની પ્લેઈંગ-11માં સ્થાન બનાવવું સરળ નથી. લાંબા સમય પછી T20 ટીમમાં વાપસી કરનાર શુભમન ગિલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને તે અભિષેક...
જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં અશોક સ્તંભને લઈ વિવાદ, ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડ્યું
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં શુક્રવારે અશાંતિ સર્જાઈ હતી. દરગાહના પુનર્નિર્માણ બાદ સ્થાપિત કરાયેલા શિલાલેખ પર અશોક સ્તંભ અંકિત કરવાથી ભીડે વિરોધ વ્યક્ત કરી તોડફોડ કરી હતી. ભીડનો આક્રોશ એ હતું કે રાષ્ટ્રીય ચિહ્નને ધાર્મિક સ્થળે મૂકવું ઈસ્લામની ભાવનાના વિરુદ્ધ છે. લોકો એ ચિહ્નને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા. વક્ફ બોર્ડ અધ્યક્ષ ડૉ. દરખ્શાં આંદ્રાબીએ...
આંધ્ર પ્રદેશના તુરાકાપાલેમ ગામમાં રહસ્યમય બીમારીથી 20નાં મોત, સરકારે જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી
આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તુરાકાપાલેમ ગામમાં છેલ્લા બે મહિનાથી રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે અને ગામમાં ઉચ્ચ સ્તરીય તબીબી ટીમોને તપાસ માટે મોકલી છે. સ્વાસ્થ્ય શિક્ષણ નિયામક ડૉ....
ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક નિવેદન આપ્યું. તેમના જવાબમાં મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા. મોદીએ લખ્યું કે, “અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ...
લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી
દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં ધાર્મિક સમારોહ દરમ્યાન લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરી જવાના બનાવે ચકચાર મચી ગયો છે. આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલું હતું અને લગભગ 150 ગ્રામ હીરા, માણેક તથા નીલમણિથી શણગારેલું હોવાનું પોલીસએ જણાવ્યું. આ ધાર્મિક વિધિ 28 ઑગસ્ટથી લાલ કિલ્લાના 15 ઑગસ્ટ પાર્ક ખાતે...
ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ”
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે...
દિલ્હીમાં સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર છરીથી હુમલો, ત્રણ સગીરો ઝડપાયા
દિલ્હીમાં અમદાવાદ જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર ત્રણ સગીરોએ છરીથી હુમલો કર્યો. આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી ઘૂસી ગયેલી હાલતમાં સીધો પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો, જેને જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો....









