આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને યુરિયાની અછત દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. આ અછતના કારણે લાઈનમાં ઉભા રહેલા ખેડૂતો વચ્ચે મારામારી થઈ રહી છે.’
આ વચ્ચે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની YSRCPએ આશ્ચર્યજનક પગલું ભરતાં NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. YSRCP કોઈ ગઠબંધનમાં સામેલ નથી, છતાં તેણે પોતાના રાજ્યના જ વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનું નક્કી કર્યું નથી. બીજી તરફ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. મતદાર મંડળમાં કુલ 788 સભ્યો છે, જેમાં હાલ 781 સક્રિય સભ્યો મતદાન માટે હાજર રહેશે. NDA તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને INDIA ગઠબંધન તરફથી બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે.

Leave a Reply