નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર

નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર

નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને AI211/212 — રદ કરવામાં આવી છે. ઈન્ડિગોએ પણ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી નેપાળ માટેની કોઈ ફ્લાઈટ ઓપરેટ નહીં થાય. મુસાફરોને ટિકિટ બદલવા અથવા રિફંડ માટે વેબસાઈટ પર વિકલ્પ ઉપલબ્ધ કરાવાયો છે.

ભારતના વિદેશ મંત્રાલયે (MEA) નેપાળમાં રહેલા ભારતીય નાગરિકો અને પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્થાનિક અધિકારીઓના આદેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે: +977-980 860 2881 અને +977-981 032 6134, જેમાં માત્ર વોટ્સએપ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે.

નેપાળમાં ચાલી રહેલા આંદોલને રાજકીય તોફાન સર્જી દીધું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપવા મજબૂર બન્યા હતા, જ્યારે અનેક મંત્રીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું જાહેર કર્યું હતું.

ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે ભભૂકેલા આ આંદોલનમાં પ્રદર્શનકારીઓએ સંસદને આગ ચાંપી હતી અને અનેક નેતાઓ પર હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 20 યુવાનોના મોત થયા છે અને લગભગ 300 લોકો ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published.