અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના ફક્ત 13 દિવસમાં જ 200થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હલચલ મચી છે. ગોમતીપુર, બહેરામપુરા, પાલડી, નવરંગપુરા અને રાણીપ જેવા વિસ્તારોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યૂના કેસોમાં હજુ વધારો થઈ શકે છે.
શહેરમાં પાણીની લાઈનોમાં પ્રદૂષણના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 26 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે અને વર્ષો જૂની પાણીની લાઈન બદલવાની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 75 અને ઝેરી મેલેરિયાના 7 કેસ નોંધાયા છે.
પાણીજન્ય રોગોમાં કમળાના 200, ટાઈફોઈડના 180, ઝાડા-ઉલટીના 120 તથા વટવા વોર્ડમાં કોલેરાનો એક કેસ સામે આવ્યો છે. કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા 44 પાણીના નમૂનાઓ પીવાલાયક ન હોવાનું અને 11 સેમ્પલમાં કલોરીન નીલ હોવાનો રીપોર્ટ આવ્યો છે.
વોર્ડ પ્રમાણે નોંધાયેલા ડેન્ગ્યૂના કેસ:
ગોમતીપુરમાં 50
બહેરામપુરામાં 45
લાંભામાં 35
સરખેજમાં 30
ચાંદલોડીયામાં 35
રામોલમાં 30
વિરાટનગરમાં 25
પાલડીમાં 30
નવરંગપુરામાં 25
રાણીપમાં 25
નરણપુરામાં 25
આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 સુધી અમદાવાદમાં કુલ 934 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે, જેમાં 526 પુરુષ અને 408 મહિલાઓનો સમાવેશ થાય છે.
ખાસ કરીને 1 વર્ષથી 8 વર્ષની ઉંમરના બાળકોમાં 115 કેસ નોંધાયા છે, જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે.

Leave a Reply