સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી

સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 વખત ધરતી ધૃજી નોંધાઈ છે, જેમાં મુખ્યત: કચ્છ, દ્વારકા અને બનાસકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

કચ્છના ભચાઉમાં 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિ.મી દૂર હતું.

ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ભચાઉ નજીક 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો, જ્યારે 3.1ની તીવ્રતાનો આંચકો આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ભચાઉમાં નોંધાયો.

દ્વારકા જિલ્લાના ભાણવડમાં 6 અને 8 સપ્ટેમ્બરે ભૂકંપના આંચકા અનુભવાયા, જ્યારે 15 સપ્ટેમ્બરે 2.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

બનાસકાંઠાના વાવમાં 17 સપ્ટેમ્બરે 2.8 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

કચ્છ અને દ્વારકા સિવાય ગીર સોમનાથના તલાલા, વડોદરાના સાવલી અને જામનગરમાં પણ સપ્ટેમ્બરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આંચકાની અસરના કારણે અનેક ઘરોમાં તીરાડો પડ્યા છે, અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

ભૂકંપના આંકડાઓએ બતાવ્યો છે કે ગુજરાતના ભૌગોલિક વિસ્તારોમાં સતત ચેતવણી જરૂરી છે, ખાસ કરીને કચ્છ અને દ્વારકા જેવા ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં.

Leave a Reply

Your email address will not be published.