નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર

નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર

આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થતાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તત્પરતા સાથે તૈયારીઓમાં લાગી છે. શહેરમાં 84 ગરબા આયોજન માટે અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપી દીધી છે.

ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન 792 સ્થળોએ ગરબા યોજાશે. પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, નાગરિકો માટે સલામત નવરાત્રિ સુનિશ્ચિત કરવા માટે પોલીસ હેલ્પ ડેસ્ક અને શી ટીમ સાથે બંદોબસ્ત રાખશે. મહિલાઓની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી 112 ડાયલના દ્વારા તાત્કાલિક મદદ ઉપલબ્ધ રહેશે.

સોશિયલ મીડિયા પર ધાર્મિક ટીપ્પણીઓ પર પણ પોલીસ નજર રાખશે અને અસામાજિક પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની તૈયારી રહેશે.

આ દરમિયાન, 70 મોટા ગરબા સ્થળો પર આજે મોકડ્રીલ યોજાશે. ગ્રામ્ય વિસ્તારોમાં હોમગાર્ડ અને પોલીસ મિશ્ર બંદોબસ્તમાં 1,700 કર્મચારીઓ ખોટી કામગીરી અટકાવવા માટે તૈનાત રહેશે.

ચાર DySP, 20 PI અને 31 PSI સુપરવિઝન હેઠળ કામગીરી ચલાવશે. તમામ ગરબા સ્થળોએ ભીડ નિયંત્રણ માટે શી ટીમ, હેલ્પ ડેસ્ક અને પોલીસ અધિકારીના સંપર્ક નંબર સાથે બેનરો મૂકવામાં આવશે. 112 વાન પેટ્રોલિંગ દ્વારા સતત ગશ્ત રાખવામાં આવશે.

નવરાત્રિ તહેવાર દરમ્યાન પોલીસની આ વ્યવસ્થા લોકજાગૃતિ અને સુરક્ષા બંનેને સુનિશ્ચિત કરશે, અને તહેવારના આનંદને સમૃદ્ધ અને સલામત બનાવશે.

Leave a Reply

Your email address will not be published.