બુમરાહ હવે T20Iથી રહેશે દૂર? 2027ના વર્લ્ડ કપ માટે BCCI એ ઘડ્યો માસ્ટર પ્લાન

Home » Latest Update » બુમરાહ હવે T20Iથી રહેશે દૂર? 2027ના વર્લ્ડ કપ માટે BCCI એ ઘડ્યો માસ્ટર પ્લાન
બુમરાહ-હવે-t20iથી-રહેશે-દૂર?-2027ના-વર્લ્ડ-કપ-માટે-bcci-એ-ઘડ્યો-માસ્ટર-પ્લાન

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News

Google News

Jasprit Bumrah

Jasprit Bumrah T20I Retirement Rumors : ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આગામી 18 મહિનામાં T20 આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય સીરિઝને બદલે વધુ 50 ઓવરની મેચ રમવાનો પ્રયાસ કરશે. ભારત આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેશે. આ સાથે જ અનેક દ્વિપક્ષીય T20 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ પણ યોજાવાની છે. આમ, 2027ના વર્લ્ડ કપ માટે BCCIએ માસ્ટર પ્લાન ઘડ્યો છે.

સૂર્યકુમાર યાદવ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. બુમરાહ, અન્ય ઘણા અનુભવી ભારતીય ખેલાડીઓની જેમ 2028ના લૉસ એન્જલસ ઓલિમ્પિકમાં રમવા માટે ખૂબ જ ઉત્સુક હોવાનું માનવામાં આવે છે, જે T20 ફોર્મેટમાં યોજાશે. જો કે, તે 2027 વર્લ્ડ કપ સુધી ODI ફોર્મેટને પસંદ કરશે.

2027ના વર્લ્ડ કપ માટે BCCI એ ઘડ્યો માસ્ટર પ્લાન

ભારતની વર્લ્ડ કપની તૈયારીઓ બે મહિના લાંબી અને વ્યસ્ત ઇન્ડિયન પ્રીમિયર લીગ પછી શરૂ થશે, જેમાં બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ આક્રમણનું નેતૃત્વ કરશે. IPL પૂર્ણ થયા પછી રાષ્ટ્રીય પસંદગી સમિતિ ભારતીય ક્રિકેટ બોર્ડ(BCCI)નું સેન્ટર ઓફ એક્સેલન્સ અને ટીમ મેનેજમેન્ટ તેમની વ્યૂહરચનાના આગામી રણનીતિનું માળખું તૈયાર કરશે.

આ યોજનાનો સૌથી મહત્ત્વપૂર્ણ પાસું બુમરાહના વર્કલોડનું સંચાલન કરવાનું રહેશે. એવું માનવામાં આવે છે કે, 32 વર્ષીય બોલરને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મેચ પસંદ કરવાની સ્વતંત્રતા નહીં હોય. બુમરાહની રમત સંચાલન મોટાભાગે 2023-2026ના સમયગાળા જેવું જ હોઈ શકે છે, જ્યારે તેણે એક પણ ODI રમી ન હતી. બુમરાહ 19 નવેમ્બર, 2023 ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ODI વર્લ્ડ કપ ફાઇનલ પછી કુલ 42 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 21 ટેસ્ટ અને 21 T20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ‘કીર્તિ આઝાદ શું બોલે છે…’ ટ્રોફી મંદિર લઈ જવાના વિવાદ પર ઈશાન કિશન ભડક્યો, જુઓ શું કહ્યું

BCCIના સૂત્ર મુજબ, ‘ભારત માટે કોઈપણ વૈશ્વિક અભિયાનમાં બુમરાહની ફિટનેસ હંમેશાની જેમ સર્વોપરી રહે છે. તેથી ટીમ મેનેજમેન્ટે ફોર્મેટને પ્રાથમિકતા આપતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે. તે ચોક્કસપણે ટેસ્ટ ક્રિકેટ રમશે, પરંતુ મર્યાદિત ઓવરના 50 ઓવરના વર્લ્ડ કપમાં તેનું ધ્યાન ODI પર વધુ રહેશે. આ સમયગાળા દરમિયાન લગભગ 30-35 મેચ હશે અને તેથી જોખમ લઈ શકાતું નથી.’ ભારત પાસે ODI ક્રિકેટમાં ફાસ્ટ બોલરોનો મોટો પૂલ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે મુખ્ય જૂથમાં બુમરાહ સાથે મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને જો ફિટ હોય તો હર્ષિત રાણાનો સમાવેશ થશે.

Leave a Reply

Your email address will not be published.