નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં આમ આદમી પાર્ટી (AAP)નું વિશાળ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની ભાજપમાંથી ડીસ્ચાર્જ થયા બાદ જિલ્લાની પંચાયત ઉપપ્રમુખ અને બે વાર તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ પોતાનો પક્ષ છોડ્યો અને પોતાના સમર્થકો સાથે AAPમાં જોડાયા.
આ પ્રસંગે આજુબાજુના ગામોના ભૂતપૂર્વ સરપંચો, ડેપ્યુટી સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, તેમજ કંથરપુરા, મરસણ, વાસણ, વીરપુર, રેગણ કોલોની, વડીયા ટેકરા, ઘાણીખોર, ડાભેડ, કાટકોઈ અને વ્યાધર જેવા ગામોના યુવાનો અને વડીલો સહિત 500થી વધુ લોકોએ AAPનો હાથ સમભાળ્યો.
AAPના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાની વિચારધારા, પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઇમાનદાર રાજનીતિ, તેમજ પાર્ટીના કાર્ય પ્રત્યે પ્રેરિત થઈને આ તમામ નેતાઓ, આગેવાનો અને યુવાનો AAPમાં જોડાયા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી મહિનાઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજવાની છે. આમ આદમી પાર્ટી વિશ્વાસ ધરાવે છે કે આવનારી તમામ ચૂંટણીમાં તે નવો ઇતિહાસ રચશે અને ગુજરાતની રાજનીતિને નવી દિશા આપશે.

Leave a Reply