જેરુસલેમમાં આતંકવાદી હુમલો, 5નાં મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત

જેરુસલેમમાં આતંકવાદી હુમલો, 5નાં મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત

જેરુસલેમઃ ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં ગુરુવારે આતંકવાદી હુમલો થતા 5 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલ પોલીસ અને મેડિકલ સર્વિસ મેગન ડેવિડ એડમના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્તોમાંથી 6ની હાલત ગંભીર છે. સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી કરતાં બંને આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કરી દીધા હતા.

સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, બે પેલેસ્ટાઈની આતંકવાદીઓએ જેરુસલેમના રામોટ જંક્શન નજીક બસ સ્ટોપ પર નાગરિકો પર આડેધડ ગોળીબાર કર્યો હતો. હુમલાની ઘટનામાં લોકોમાં હાહાકાર મચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજમાં લોકો નાસભાગ કરતાં અને રસ્તા પર પડતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરો રામલલ્લા વિસ્તારના ગામમાંથી આવ્યા હતા અને તેમની ઓળખ પુષ્ટિ થઈ ગઈ છે.

હમાસે આ હુમલાનું સમર્થન કર્યું છે, જોકે તેની જવાબદારી લીધી નથી. હમાસે આ હુમલાને “સ્વાભાવિક પ્રતિસાદ” ગણાવ્યો છે અને જણાવ્યું છે કે તે તેમના વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનનો એક ભાગ હોઈ શકે છે. ગાઝા યુદ્ધ બાદ ઈઝરાયલ અને વેસ્ટ બેંકમાં હિંસા વધતી જ રહી છે. યુએનના આંકડા મુજબ, જુલાઈ 2025 સુધી પેલેસ્ટાઈની હુમલાઓમાં ઈઝરાયલ તથા વેસ્ટ બેંકમાં 49 લોકોના મોત થયા છે.

 

Leave a Reply

Your email address will not be published.