ભારે વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ બની છે, ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલા ભૂસ્ખલનમાં અનેક લોકોના મોત થયા હતા.
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું આ વર્ષે 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે અને પાછું હટતી વખતે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે.
23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ઓડિશામાં, 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડમાં તેમજ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તરપૂર્વ ભારતના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, વિદર્ભ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે.
પૂર્વ ભારતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાવાઝોડા તથા જોરદાર પવન ફૂંકાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Leave a Reply