Author: Inside Media Network (Aarohi Patel)

સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા
Post

સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા

પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ગુરુવારે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં રસ્તાની ખરાબ હાલત અંગે ટોલ વસૂલાતને લઈને થયેલા વિવાદ બાદ ટોલ બૂથના કર્મચારીઓએ દાદાગીરી દાખવી પરિવાર પર ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો. થરાદના દિલીપ સાધુ પોતાના પરિવાર સાથે અંજાઈ જવાના હતા...

નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન
Post

નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન

નેપાળમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિ વચ્ચે દેશના કાર્યકારી વડાપ્રધાન પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ચર્ચામાં છે. સૈના, Gen-Z આંદોલનકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં ઘિસિંગનું નામ સત્તાવાર રીતે આગળ આવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ઘિસિંગનું નામ વડાપ્રધાન પદ માટે આગળ આવ્યું છે. અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુ મેયર...

ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી
Post

ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી

ભારત અને મોરિશિયસ વચ્ચે હવે લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર શક્ય બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના આર્થિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત બનશે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ પોતાના...

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ પદ ખાલી: આચાર્ય દેવવ્રતને વધારાની જવાબદારી સોંપાઈ
Post

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ પદ ખાલી: આચાર્ય દેવવ્રતને વધારાની જવાબદારી સોંપાઈ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા આ પદ ખાલી પડ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આચાર્ય દેવવ્રતને તાત્કાલિક અસરથી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ આ હવાલો ત્યાં સુધી સંભાળશે...

CRPF નો વાંધો: રાહુલ ગાંધીના અચાનક વિદેશ પ્રવાસે સુરક્ષા ચિંતાઓ ઉઠી
Post

CRPF નો વાંધો: રાહુલ ગાંધીના અચાનક વિદેશ પ્રવાસે સુરક્ષા ચિંતાઓ ઉઠી

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અચાનક વિદેશ પ્રવાસોને લઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ ચિંતા વ્યક્ત કરી છે. સુરક્ષા પ્રોટોકોલના ઉલ્લંઘન બાબતે CRPFના VVIP સુરક્ષા વડાએ તેમને સત્તાવાર પત્ર લખ્યો છે. આ પત્ર 10 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની નકલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ મોકલવામાં આવી છે. પત્રમાં...

ભારતે નેપાળ સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ; ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા તાકીદ
Post

ભારતે નેપાળ સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ; ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા તાકીદ

નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન અને અશાંતિને ધ્યાનમાં રાખીને ભારતે ભારત-નેપાળ સરહદ સંપૂર્ણપણે સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલા સાથે મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે. સરહદ બંધ થતા બંને દેશો વચ્ચે નાગરિકોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને વેપાર પણ અટકી ગયો છે....

વિદેશ મંત્રાલયની ચેતવણી: રશિયાની સેનામાં ભર્તિ થવાની કોઈપણ ઓફર સ્વીકારશો નહીં
Post

વિદેશ મંત્રાલયની ચેતવણી: રશિયાની સેનામાં ભર્તિ થવાની કોઈપણ ઓફર સ્વીકારશો નહીં

નવી દિલ્હી: ભારત સરકારની તરફથી રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં રશિયન સેનામાં ભરતીની તમામ જાહેરાતો પર સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સતર્ક કરતા એડવાઈઝરી જાહેર કરી છે કે, તેઓ રશિયન સેનામાં જોડાવાની કોઈપણ ઓફર સ્વીકારતા જોખમમાં ન ફસાય. મંત્રાલયના ટવીટમાં જણાવાયું છે કે, આવી કોઈ પણ ઓફર અત્યંત જોખમી છે અને રશિયન...

“Jolly LLB 3” પર કાયદાકીય પડકાર, CBFC, ડિરેક્ટર અને કલાકારો સામેથી પ્રશ્નો
Post

“Jolly LLB 3” પર કાયદાકીય પડકાર, CBFC, ડિરેક્ટર અને કલાકારો સામેથી પ્રશ્નો

મચ અપેક્ષિત ફિલ્મ “Jolly LLB 3” તેના ટીઝર રિલીઝ થતાં જ કાયદાકીય વિવાદમાં ફસાઇ ગઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે અરજી દાખલ કરવામાં આવી છે જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC), ફિલ્મના ડિરેક્ટર અને કલાકારોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજીકર્તાએ દાવો કર્યો છે કે ટીઝરમાં ન્યાયાધીશોને અયોગ્ય રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે અને ન્યાયિક...

દિલ્હી-મુંબઈ માર્ગે આતંકી હુમલાનો ષડયંત્ર નાકામ, 5 આતંકીઓની ધરપકડ અને IED સામગ્રી જપ્ત
Post

દિલ્હી-મુંબઈ માર્ગે આતંકી હુમલાનો ષડયંત્ર નાકામ, 5 આતંકીઓની ધરપકડ અને IED સામગ્રી જપ્ત

દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના સંયુક્ત અભિયાન દ્વારા દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં આંતરરાજ્ય સ્તરે આતંકી નેટવર્કને નબળું પાડ્યું છે. આ કામગીરીમાં કુલ 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે ISIS મોડ્યુઅલથી પ્રેરિત હતા અને દિલ્હીમાં કેમિકલ બોમ્બનો ઉપયોગ કરીને મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે બુધવારે પહેલે ત્રણ આતંકીઓને ધરપકડ કરી હતી જેમાં...

થરાદ ખાતેથી સુઈગામ માટે 2000 લોટના પેકેટ અને 24,000 પાણીની બોટલ રવાના
Post

થરાદ ખાતેથી સુઈગામ માટે 2000 લોટના પેકેટ અને 24,000 પાણીની બોટલ રવાના

બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને પગલે સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તેજ ગતિએ ચાલુ છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર રાઉન્ડ-ધ-ક્લોક કામગીરી કરી રહ્યું છે. અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ સક્રિયપણે થઈ રહ્યું છે. સુઈગામના જેલાણા, નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લિંબાળા અને કોરોટી...