બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સામેનો મની લોન્ડરિંગ કેસ હવે ઝડપી ગતિએ આગળ વધશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપતાં જણાવ્યું છે કે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડની સુનાવણી હવે 13 ઓક્ટોબરથી દરરોજ યોજાશે. આ કેસમાં લાલુ યાદવ સાથે તેમની પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ તથા...
Author: Inside Media Network (Aarohi Patel)
GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો
દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે. નિર્મલા સીતારમણે...
અમિત શાહે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી, મહાનગર પાલિકા ચૂંટણીને લઇને ચર્ચા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે રાજકોટની મુલાકાતે ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર અને જિલ્લા સંગઠનના આગેવાનો સહિત માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં પાર્ટી જોગવાઈ અને આંતરિક જૂથવાદને કાબૂમાં રાખવા ઉપરાંત આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી....
અમિત શાહની સુરત મુલાકાત: ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન, પાટીલના ઘરે રાત્રી ભોજન અને GST રાહત પર ટ્વિટ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં તેમણે કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કર્યું. ભૂમિપૂજન દરમ્યાન ગૃહ મંત્રીએ યજ્ઞમાં આહૂતિ આપી અને મંદિરના દાતાઓ-શ્રેષ્ઠીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા. આ મંદિર 3.51 લાખ ચોરસ ફૂટમાં વિકસાવવામાં આવશે અને ધાર્મિક ઉપરાંત સંસ્કૃતિ અને...
બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત
બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની નિયામક મંડળની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. પૂર્વ સાંસદ પરબત પટેલે ધાનેરા બેઠક પરથી ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું છે. તેમણે જણાવ્યું કે, આજની પ્રક્રિયા પૂરી થયા પછી લગભગ સમગ્ર નિયામક મંડળ બિનહરિફ થવાનો સંકેત છે. પેટલના જણાવ્યા અનુસાર, તેમણે ફોર્મ ભરતા કહ્યું કે બનાસ ડેરીની પ્રતિષ્ઠા,...
નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર
આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થતાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તત્પરતા સાથે તૈયારીઓમાં લાગી છે. શહેરમાં 84 ગરબા આયોજન માટે અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન 792 સ્થળોએ ગરબા યોજાશે. પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી...
બેંગ્લુરુ-વારાણસી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં મુસાફરે કોકપિટમાં પ્રવેશવાનો કર્યો પ્રયાસ, CISF હવાલે
બેંગ્લુરુ-વારાણસી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-1086માં સોમવારે એક ભયાનક ઘટના બની, જ્યારે એક મુસાફરે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતા મુસાફરોમાં ભય અને હાહાકાર ફેલાયો, પરંતુ પાયલટ અને ક્રૂના ઝડપી પગલાંઓને કારણે કોકપિટ સુરક્ષિત રહ્યું. યાત્રીને બાદમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) હવાલે કરવામાં આવ્યા. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે મુસાફર કોકપિટ...
ગ્રેટર નોઇડા: બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીઓના મોત, ગુનો નોંધાયો
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માતમાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી (GBU)ના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બીટા-2 પોલીસ સ્ટેશન વિસ્તારની યમુના એક્સપ્રેસ વેના ચુહરપુર અંડરપાસ નજીક, ત્રણેય વિદ્યાર્થી એક ઢાબા પર ખોરાક ખરીદવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક પાણી આપતો ટેન્કર સાથે અથડાઇ ગઈ. અકસ્માતમાં વિદ્યાર્થીઓ ગંભીર રીતે...
અરુણાચલના પર્વતોમાં પીએમ મોદીના શૈલપુત્રી દર્શન કર્યા, કહ્યું – કોંગ્રેસે વિકાસમાં અવરોધ ઉભા કર્યા
ઈટાનગર: નવરાત્રિના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ભવ્ય પર્વતો વચ્ચે શૈલપુત્રીના દર્શન કર્યા અને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ માત્ર ઉગતા સૂર્યની ધરતી જ નહીં પરંતુ દેશભક્તિ અને બહાદુરીનું પ્રતિક છે. “જે રીતે તિરંગાનો પ્રથમ રંગ ભગવો છે, તેવી જ રીતે અરુણાચલનો પ્રથમ રંગ પણ...
ખૈબર પખ્તૂનખામાં પાકિસ્તાની સેનાનો હવાઇ હુમલો, મહિલાઓ-બાળકો સહિત 30 નાગરિકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાના તિરાહ ઘાટીમાં આવેલા મત્રે દારા ગામમાં રવિવારે રાત્રે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 નાગરિકોના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાએ JF-17 લડાકુ વિમાનમાંથી 8 LS-6 પ્રીસીજન બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે ગામનો મોટો ભાગ સંપૂર્ણ તબાહ થઈ ગયો છે....








