Author: Inside Media Network

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, 10 દિવસમાં થશે જાહેરાત
Post

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, 10 દિવસમાં થશે જાહેરાત

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર આઠ જુલાઈના રોજ અંતિમ  મહોર લાગી શકે છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભારત તરફથી વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ અને ચીફ નેગોશિએટર રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ વોશિંગ્ટન ખાતે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ...

ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો
Post

ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો

જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો હોવાનો ખુલાસો થયો છે. ધારાસભ્યના દીકરાએ PM આવાસ યોજનામાં લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં એક જાગૃત નાગરિકે RTI (માહિતીનો અધિકાર) હેઠળ માંગેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળ્યા અનુસાર, ધ્રોલ નગરપાલિકા...

ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
Post

ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર કડક વલણ જાળવી રાખતાં કેનેડા અંતે ઝૂકવા તૈયાર થયુ છે. કેનેડાએ અમેરિકાની એમેઝોન, ગુગલ જેવી ટેક્નોલોજી કંપનીઓ પર લાગુ ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો અમલ સોમવારથી શરૂ થઈ ચૂક્યો છે. કેનેડાએ આ પગલાં પાછળનો ઉદ્દેશ અમેરિકા સાથે અટકેલી વેપાર મંત્રણાને આગળ વધારવાનો છે. કેનેડિયન નાણા...

ભ્રષ્ટાચારના કેસમાં નેતન્યાહૂને ઇઝરાયલી કોર્ટની મોટી રાહત
Post

ભ્રષ્ટાચારના કેસમાં નેતન્યાહૂને ઇઝરાયલી કોર્ટની મોટી રાહત

લાંબા સમયથી હમાસ અને ઈરાન સામે યુદ્ધ લડી રહેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મોટી રાહત મળી છે. જેરુસલેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને ભ્રષ્ટાચારના કેસમાં તાત્કાલિક રાહત આપી છે. રવિવારે, કોર્ટે 4 વર્ષથી ચાલતા તેમના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી આગામી બે અઠવાડિયા માટે મુલતવી રાખી હતી. શું છે કેસ? નેતન્યાહૂ વિરુદ્ધ 2019 થી લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતના...

ઈ-મેમોના નામે થતી છેતરપિંડીથી ચેતજો! ખાલી થઈ જશે બૅન્ક ખાતું
Post

ઈ-મેમોના નામે થતી છેતરપિંડીથી ચેતજો! ખાલી થઈ જશે બૅન્ક ખાતું

ઓનલાઈન ચીટિંગ કરતાં ગઠિયાઓ જૂની-નવી પદ્ધતિઓ અપનાવીને સતત સક્રિય રહે જ છે. બે વર્ષ અગાઉ અઢળક લોકોને ટ્રાફિક નિયમ તોડવામાં આવ્યો છે તેવી નોટિસ મોકલીને દંડ ભરવા માટે લિન્ક મોકલવામાં આવતી હતી. છેલ્લા થોડા સમયથી ફરી વખત ટ્રાફિક નિયમભંગ કર્યાની નોટિસ સાથે લિન્ક મોકલાય છે. આ લિન્કથી ટ્રાફિક પોલીસ કે વાહન પરિવહન વિભાગ જેવી જ...

ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ સવાર, ઈન્ડિયન નેવી પહોંચી મદદે
Post

ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ સવાર, ઈન્ડિયન નેવી પહોંચી મદદે

ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા પલાઉ એમટી યી ચેંગ 6ના એન્જિન રૂમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જહાજની બત્તી સંપૂર્ણપણે ગુલ થઈ ગઈ હતી. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતાં. ભારતીય નૌસેનાને આ દુર્ઘટનાની જાણ થતાં જ તે મદદ માટે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ભારતીય નૌસેનાના જણાવ્યા...

કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટના લીધે નિધન; મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો
Post

કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટના લીધે નિધન; મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો

પ્રખ્યાત રિમિક્સ ગીત ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેફાલીને શુક્રવારે રાત્રે બેભાન અવસ્થામાં અંધેરી વેસ્ટ (મુંબઈ) સ્થિત બેલેવ્યુ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેફાલી 11 વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી. છાતીમાં દુખાવાને કારણે, તેમના પતિ...

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ
Post

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલામાં સુરક્ષા ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રતલામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતાં સીએમ મોહન યાદવના કાફલાની મોટા ભાગની કાર બંધ પડી ગઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામાં આવ્યું હતું. પેટ્રોલ પંપની નજીક બંધ પડી મુખ્યમંત્રીની કાર થોડા અંતર કાપ્યા પછી બંધ...

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર
Post

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર

વૈજ્ઞાનિકો દાયકાઓથી અવકાશની શોધ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ એક રહસ્ય છે. અવકાશ વિશે દરરોજ નવી શોધ થતી રહે છે. શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ ગઈકાલે તેમના મિશન માટે અવકાશમાં ગયા છે. આ સમય દરમિયાન, અવકાશયાત્રીઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હજુ પણ એક પ્રશ્ન એ છે કે...

અમદાવાદ રથયાત્રામાં વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા
Post

અમદાવાદ રથયાત્રામાં વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. રથયાત્રામાં જોડાયેલા કેટલાક ગજરાજ ભડક્યા હતા. ખાડિયા પાસે ત્રણ ગજરાજ બેકાબૂ બન્યા હતા. DJના વધુ પડતા અવાજથી ગજરાજ ભડક્યા હતા. ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા હતા.   ગજરાજ ભડકતા 10 મીનિટથી વધુ રથયાત્રા રોકવામાં આવી હતી. બેથી ત્રણ લોકોને ગજરાજે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ...