અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ પીએમ નરેન્દ્ર મોદીની તસવીર સાથે ભારતની રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાની નીતિ પર સવાલ ઉઠાવતાં ટ્વિટ કરી, જે તેમને ભારે પડી છે. નવારોએ ટ્વિટમાં ભારતીય બિઝનેસમેનને નફાખોર ગણાવતા, ભારત રશિયાનું ક્રૂડ વેચી મબલક નફો મેળવી રહ્યું છે તેવું કટાક્ષ પણ કર્યો હતો. સાથે જ, તેમણે યુક્રેન યુદ્ધ...
Category: BREAKING NEWS
થાઇલૅન્ડના વડાપ્રધાન પૈતોંગતાર્ન શિનાવાત્રાને નૈતિક ઉલ્લંઘનના કારણે પદેથી હટાવવામાં આવ્યા
થાઇલૅન્ડના સૌથી યુવા વડાપ્રધાન પૈયતોંગતાર્ન શિનાવાત્રાને બંધારણીય અદાલતે નૈતિક આચરણના ઉલ્લંઘનના આરોપમાં દોષિત ઠેરવી પદ પરથી હટાવી દીધા છે. શિનાવાત્રાને માત્ર એક વર્ષ પહેલાં જ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. પદ હટાવવાનો મુખ્ય કારણ જૂનમાં થયેલી ફોન કોલ લીક છે, જેમાં શિનાવાત્રાએ કંબોડિયાના નેતા હુન સેન સાથે વાતચીત કરી હતી. અદાલતે જણાવ્યું કે આ વાતચીતમાં રાષ્ટ્રીય...
વડાપ્રધાન મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોમાં હિંસક ઘર્ષણ
પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમની માતાને અપશબ્દ બોલવાના મામલે આજે પટનામાં ભાજપ અને કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે ધમાકેદાર મારામારી થઈ. ભાજપના કાર્યકરો દરભંગામાં થયેલી રેલી દરમિયાન પીએમ મોદીને અને તેમની માતાને અભદ્ર ટીપ્પણી કરવાનાં વિરોધમાં કૉંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવા કર્યા હતા, જે બાદમાં આક્રમક બની ગયા. માધ્યમોમાં આવી રહેલા વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજાં પર...
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી ચાલ: સપ્ટેમ્બરમાં રશિયાથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે: રિપોર્ટ
અમેરિકાના કડક સંદેશાઓ છતાં ભારત તેના ઊર્જા હિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે. તાજેતરના અહેવાલ અનુસાર, ભારતીય રિફાઇનરીઓએ સપ્ટેમ્બર મહિનામાં રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે ભારત સરકાર અથવા રિફાઇનરીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, રોયટર્સને મળેલી માહિતી મુજબ ભારતીય કંપનીઓ ઓગસ્ટની તુલનામાં 10થી 20 ટકા વધુ ક્રૂડ...
જાપાન અને ચીનના પ્રવાસે વડાપ્રધાન મોદી: વ્યૂહાત્મક ભાગીદારી અને SCO સમિટ પર ધ્યાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન જવા પૂર્વે જાપાન પહોંચ્યા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન 28 ઓગસ્ટે જાપાન અને ચીનની મહત્વપૂર્ણ મુલાકાત માટે રવાના થયા હતા. જાપાન મુલાકાત અંગે મોદીએ જણાવ્યું કે આ પ્રવાસ ભારતના હિતોને મજબૂત બનાવશે અને પ્રાદેશિક તેમજ...
મેંગલોરમાં બસ સ્ટેન્ડમાં ઘૂસી કસર્ગોડ-મેંગલુરુ બસ, 5નાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ
કર્ણાટકના મેંગલોર શહેરમાં આજે, 28 ઓગસ્ટે, ભયાનક અકસ્માત બન્યો છે. કસર્ગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો કમકમાટીભર્યો મોત થયો છે, જેમાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળક સામેલ છે. પ્રાથમિક જાણકારી અનુસાર, કેટલાક...
હિમાચલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનના કારણે રૂ.1000 કરોડના માર્ગો ધોવાયા
હિમાચલ પ્રદેશમાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ના રસ્તાઓ પર ભારે નુકસાન થયું છે. કીરતપુર-મનાલી ફોરલેન માર્ગનો પાંડોહથી મનાલી સુધીનો વિસ્તાર ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. માત્ર બે વર્ષમાં જ આ માર્ગનો મોટો ભાગ અસ્તિત્વ ગુમાવી બેસ્યો છે અને હવે તેનું પુનર્નિર્માણ તાત્કાલિક કરવું પડશે. હવામાન પ્રદત્ત આફતોને...
અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારે અમદાવાદને આ આયોજન માટે આદર્શ શહેર ગણાવ્યું છે, કારણ કે શહેરમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમતપ્રેમી વસ્તી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ અગાઉ 13 ઓગસ્ટના રોજ આ બિડ માટે સત્તાવાર મંજૂરી...
પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા
પંજાબમાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં દીનાનગર તાલુકાના દબૂરી ગામમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં મોટી બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી દ્વારા 26 ઑગસ્ટે રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવા છતાં, શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. પરિણામે લગભગ 400 વિદ્યાર્થીઓ 4-5 ફૂટ પાણીમાં શાળાની અંદર ફસાઈ ગયા છે....
ટ્રમ્પના ટેરિફ મુદ્દે PM મોદીને ફિજીના વડાપ્રધાનનો સાથ, 7 કરારો પર હસ્તાક્ષર
ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીના સપ્રુ હાઉસ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ઓશન ઓફ પીસ લેકચરમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાબુકાએ શ્રોતાઓ સાથેની ચર્ચામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર લગાવવામાં આવેલા 50% ટેરિફને લઈને કટાક્ષ...









