ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના મિલ પાર્ક વિસ્તારમાં આવેલી BAPS સ્વામિનારાયણ મંદિરે ગુરુવારે સવારે ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો. આ તત્વોએ મંદિરની દીવાલો પર ઉશ્કેરણીજનક સૂત્રો લખ્યા અને તોડફોડ કરી. મેસેજમાં ખાલિસ્તાન સમર્થનમાં જરનૈલ સિંહ ભિંદરાનવાલેને “શહીદ” તરીકે દર્શાવતો graffiti લખાયો હતો અને ભારત તથા મોદી સરકાર વિરુદ્ધ સૂત્રો પણ લખાયા હતા. આ ઘટનાને લઇને હિન્દુ કાઉન્સિલ...
Category: BREAKING NEWS
રાજસ્થાનમાં શાળાની બિલ્ડિંગ ધરાશાયી: 4 બાળકોના મોત, 18 દટાયાની આશંકા
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડી ગામમાં આવેલા ડાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે ભયાનક દુર્ઘટના બની હતી. અહીં એક પ્રાથમિક શાળાની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાના સમયે શાળામાં સવારની પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે અચાનક છત તૂટી પડતાં બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, હાલ સુધીમાં ચાર બાળકોના મૃત્યુની પુષ્ટિ...
ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન મોદીએ...
કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ પર સકંજો: 105 ભારતીય સહિત 3,075ની ધરપકડ
કંબોડિયામાં ચાલતા ડિજિટલ અરેસ્ટ સ્કેમના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે કંબોડિયા સરકારે છેલ્લા 15 દિવસમાં સમગ્ર દેશમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાઓમાં કુલ 3,075 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે....
સંસદની કાર્યવાહી ઠપ: 3 દિવસમાં પ્રજાના 23 કરોડ રૂપિયા પર પાણી!
દેશની સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થયું છે, પરંતુ સતત ત્રણ દિવસ સુધી કોઈ મહત્વપૂર્ણ કામકાજ ન થઈ શક્યું. વિપક્ષે ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલો અને ટ્રમ્પના નિવેદનો જેવા મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો. પરિણામે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. PRS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંસદની એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ અંદાજે ₹2.5 લાખ...
ચોથી ટેસ્ટ દરમિયાન રિષભ પંતને ગંભીર ઈજા, લોહી વહેવાથી એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવાયા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ માટે એક મોટો આંચકો જોવા મળ્યો. ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું હતું. ઘટના મેચની 68મી ઓવરમાં બની હતી, જયારે પંત ઇંગ્લેન્ડના ઝડપી ગેંદબાજ ક્રિસ વોક્સ સામે બેટિંગ કરી રહ્યા હતા. વોક્સની યોર્કર બોલ પર પંતે...
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોટો છબરડો: બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહ મોકલાયા
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ બાદ થોડા જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 241 યાત્રીઓ સહિત કુલ 260 લોકોનાં મૃત્યુ થયા હતા. મોટા ભાગના મૃતદેહો એટલા બળી ગયા કે ઓળખ કરવી મુશ્કેલ બની. DNA ટેસ્ટના આધારે અવશેષોની ઓળખ કરી તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ખોટા અવશેષ મોકલાયા...
બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે. ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ...
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ
અમદાવાદ એરપોર્ટ પરથી દીવ જવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર ATR76 માં ટેકઓફના સમયે એન્જિનમાં અચાનક આગ લાગી. ફ્લાઈટમાં 60 મુસાફરો હાજર હતા. પાયલટે તરત જ આંતરિક વિમાની ટ્રાફિક નિયંત્રણ કેન્દ્ર (ATC) ને ‘મેડે’ કોલ આપ્યો અને પ્લેનનું ટેકઓફ રોકી દેવામાં આવ્યું. ટેકઓફ પહેલાં જ રનવે પર ફ્લાઈટ રોલ થઈ ગઈ હતી રિપોર્ટ...
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા”
લોકસભા અને રાજ્યસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે, પરંતુ વિપક્ષના સતત હોબાળા વચ્ચે ત્રણ દિવસથી સંસદની કાર્યવાહી પૂર્વવત્ ચાલુ રહી શકી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અંગે ચર્ચા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં 28 જુલાઈ અને રાજ્યસભામાં 29 જુલાઈએ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે, જ્યાં...









