જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના સુભાષ ચોક વિસ્તારના આમેર રોડ પર ગુરુવારે દુઃખદ ઘટના બની હતી. એક જર્જરિત મકાન ધરાશાયી થતાં 78 વર્ષીય ધન્ની બાઈનું મોત થયું જ્યારે તેની પુત્રવધૂ સુનીતા (35) ગંભીર રીતે ઘાયલ થઈ. કાટમાળ નીચે ફસાયેલા બંને મહિલાઓને પડોશીઓ અને બચાવ દળે બહાર કાઢી SMS હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ધન્નીબાઈને મૃત જાહેર કરવામાં...
પૂર પીડિતોના પ્રશ્નોથી કંગના રનોતએ ચિડાઈને કહ્યું – “સવાલ કરો, ચઢાણ ન કરો”
મંડી: બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનોત ફરી વિવાદમાં આવી છે. મંડીમાં પૂર પીડિતોની હાલત જાણવા ગયેલી કંગનાને એક મહિલાએ પોતાની આપવીતી સંભળાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંગના ચિડાઈ ગઈ. કંગનાએ મહિલાને કહ્યું કે, “તમે મને સવાલ કરો, ચઢાણ ન કરો. જો આક્રમક બનશો તો કામ કેવી રીતે કરી શકીશું?” કંગનાએ પોતાની પણ નુકસાનીની વાત કહી...
રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને લોકોને નિશાન બનાવી તેમના નામ યાદીમાંથી કાઢી રહ્યું છે અને તે માટે અન્ય મોબાઇલ નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે. રાહુલના જણાવ્યા મુજબ હવે ચૂંટણી પંચની અંદરથી લોકો તેમના સંપર્કમાં...
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક
રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે...
નવરાત્રી સુરક્ષા પ્લાન: અમદાવાદ પોલીસનો કડક એક્શન, શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે તૈનાત
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસએ વિશાળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 22મી તારીખથી શરૂ થનારી નવરાત્રી દરમિયાન રાત્રે ગરબા સ્થળોએ થતી છેડતીની ઘટનાઓ અને ચોરીને રોકવા માટે શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ડીસીપી રિમા મુન્શીએ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા, લોકોની સલામતી, ટ્રાફિક કન્ટ્રોલ અને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે ખાસ...
તુષાર રાણપરા ગુમ થવાનો કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો, પરિવાર ન્યાયની રાહે
વડોદરાના તુષાર રાણપરાના ગુમ થવાનો કેસ વધુ ગંભીર બનતા હવે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તુષાર એપ્રિલ 2024માં દુબઈ ગયો હતો અને ત્યાં જવા માટે તેણે વેદ અને કુશાંગ નામના બે એજન્ટોની મદદ લીધી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ સપ્ટેમ્બર 2024માં આ જ એજન્ટોએ તેને હોંગકોંગ મોકલ્યો હતો અને ત્યાર બાદથી તેનો...
પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ
બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપતાં પટણા હાઈકોર્ટે પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે બનાવેલો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવો પડશે. આ વીડિયો કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીની માતા...
પરાળી સળગાવાની સમસ્યાએ સુપ્રીમ કોર્ટનું કડક વલણ: “અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે”
દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને સ્પષ્ટ ચેતવણી આપી કે પરાળી સળગાવાની સમસ્યા અટકાવવા માટે કડક પગલાં લેવાં જરૂરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે જો અમુક ખેડૂતોને જેલમાં મોકલવામાં આવે, તો અન્ય ખેડૂતોને સ્પષ્ટ સંદેશ જશે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ...
પીએમ મોદી દ્વારા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ની શરૂઆત: દેશભરમાં મફત આરોગ્ય શિબિરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી બુધવારે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ ની શરૂઆત કરી અને સાથે 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો પણ શુભારંભ કર્યો. આ ઝુંબેશ 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી દેશવ્યાપી સ્તરે યોજાશે. આ અભિયાન અંતર્ગત મહિલાઓ માટે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેમાં તપાસ અને દવાઓ મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં...
પીએમ મોદીનું ધાર સંબોધન: “નવું ભારત પરમાણુ ધમકીથી ડરતું નથી, ઘરમાં ઘુસીને જવાબ આપે છે”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર ખાતે સંબોધન કર્યું અને દેશને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી. પીએમ મોદીએ પોતાના જન્મદિવસે યોજાયેલા કાર્યક્રમમાં દેશવાસીઓને વિશ્વકર્મા જયંતિની શુભેચ્છાઓ પાઠવી અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે “આ નવું ભારત છે, જે કોઈની પણ પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને જવાબ આપે છે.” પીએમ મોદીએ ખાસ કરીને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ...









