બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ડિરેક્ટર પદ મેળવવા માટે વિવિધ નેતાઓ સક્રિય થઈ ગયાં છે, ખાસ કરીને ભાજપના નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરતાં સહકારી ક્ષેત્રમાં ચહલપહલ વધી છે. સૂત્રો મુજબ પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે તેવી શક્યતાઓ છે. વડગામ બેઠક પર આંતરિક ખેંચતાણ સર્જાયું...
રાજ કુન્દ્રા મની લોન્ડરિંગ કેસમાં એકતા કપૂર, નેહા ધુપિયા અને બિપાશા બાસુની પૂછપરછ થશે
શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સામેનો ₹60 કરોડનો છેતરપિંડી કેસ વધુ ગંભીર બની રહ્યો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણી આવ્યું છે કે આ પૈસામાંથી કેટલાક ફંડ ફિલ્મ નિર્માતા એકતા કપૂર, અભિનેત્રી બિપાશા બાસુ અને નેહા ધુપિયાના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, EOW ટૂંક...
ITC, HUL, P&G અને Emami દ્વારા મોટી જાહેરાત – સાબુ, શેમ્પૂ, લોટ, ક્રીમ સહિતના ઉત્પાદનોના ભાવ ઘટ્યા
દેશની અગ્રણી FMCG કંપનીઓએ ગ્રાહકોને રાહત આપતા 22 સપ્ટેમ્બરથી દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. ITC, HUL, Procter & Gamble (P&G) અને Emami જેવી કંપનીઓએ શેમ્પૂ, સાબુ, ટૂથપેસ્ટ, બેબી ડાયપર, ક્રીમ, રેઝર અને આફ્ટર-શેવ લોશન સહિતના પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા કર દર ઘટાડ્યા બાદ લેવામાં આવ્યો છે...
અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નવરાત્રિની ધૂમ શરૂ થવા જઈ રહી છે, જેમાં નિકોલ, નરોડા, વટવા, વસ્ત્રાલથી ઓઢવ સુધીની સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રહેવાસીઓ ભેગા મળી પરંપરાગત શેરી ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરશે. આ વર્ષે ઉજવણીમાં માત્ર આનંદ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને સાઇબર સુરક્ષાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે. નરોડાની પાયલ પાર્ક સોસાયટીમાં...
ટ્રમ્પનો સૂર બદલાયો: “હું ભારત અને મોદીની ખૂબ નજીક છું”, ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો પણ કર્યો દાવો
ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનો સૂર બદલ્યો છે. અગાઉ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની આકરી ટીકા કરનાર ટ્રમ્પે હવે યુનાઈટેડ કિંગડમના પ્રવાસ દરમિયાન જણાવ્યું કે તેઓ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત સાથેના તેમના સંબંધો “ખાસ” છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે...
ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે. કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં...
સેબીનો મોટો નિર્ણય: હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને સંપૂર્ણ ક્લીન ચીટ
અમદાવાદ: અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકન શોર્ટ-સેલર ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપોમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી છે. ગુરુવારે જાહેર કરાયેલા અંતિમ આદેશમાં સેબીએ સ્પષ્ટ કર્યું કે હિન્ડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈ પણ...
ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં
દિલ્હી: ભાગેડુ આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ઉદ્યોગપતિ સમીર મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હી પોલીસએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના દુષ્કર્મ કેસમાં તેમની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, સમીર મોદી વિદેશ જવાના ઈરાદે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા...
કરજણ અને શિનોરમાં 10 દિવસ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતો અને નાગરિકો માટે રાહત
વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં 10 દિવસના વિરામ પછી ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા દિવસોમાં ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકો અને ખેડૂતોએ આ વરસાદથી રાહતનો શ્વાસ લીધો છે. કરજણ તાલુકાના સીમળી, દેરોલી અને ફતેપુરમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે શિનોર તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો, જેનાથી વાતાવરણ ઠંડું અને સુખદ બની ગયું. શિનોરમાં...
GST 2.0 : નવા દરો લાગુ થયા પછી પણ દુકાનદાર જૂના ભાવે વસ્તુઓ વેચે તો ગ્રાહકો શું કરી શકે?
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતાં GST 2.0ના નવા દરો જાહેર કર્યા છે, જે 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. તાજેતરમાં 3 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હાલના 5%, 12%, 18% અને 28% ના ચાર GST દરો દૂર કરી ફક્ત 5% અને 18%ના બે દર જ લાગુ...









