સુરતના પર્વત ગામ વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત ગાર્ડનમાં એક ભયાનક દુર્ઘટના બની છે, જેમાં લોખંડનો ગેટ એક બાળક પર પડી ગયો. મૃત્યુ પામનાર બાળકનું નામ આર્યન છે અને તેનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો વતની છે. દુર્ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને...
અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે
આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના...
આસામમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તરપૂર્વી રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા
આસામના ગુવાહાટીમાં આજે, 14 સપ્ટેમ્બર સાંજે 4:41 વાગ્યે, 5.8 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના ઉદલગુડીમાં હતું અને તેની ઊંડાઈ આશરે 5 કિલોમીટર નોંધાઈ. આ ભૂકંપના આંચકા આસામમાં જ નહીં, પરંતુ બંગાળ અને પડોશી દેશ ભૂટાન સુધી અનુભવાયા હતા. તેમજ ઉત્તરપૂર્વી રાજ્યો જેવા કે મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં પણ...
જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ
રાજસ્થાનના જયપુર શહેરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રવિવારે થયેલ આ અકસ્માતમાં એક ઓવરસ્પીડ કાર અંડરપાસમાં ખાબકી ગઈ, જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા. દુર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે, જેના કારણે પરિવારમાં અને તેમના ગામમાં શોકનો માહોલ છે. માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે...
હૈદરાબાદની ખાનગી શાળામાંથી ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ, ડિરેક્ટર સહિત 3ની ધરપકડ
હૈદરાબાદ: શહેરની એક ખાનગી શાળામાં ચાલી રહેલા મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે મેધા સ્કૂલના ડિરેક્ટર માલેલા જયા પ્રકાશ ગૌડ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ શાળાના વર્ગખંડો અને પ્રતિબંધિત વિસ્તારોમાં કેમિકલ રિએક્ટર અને ડ્રાયર્સ લગાવી અલ્પ્રાઝોલમ નામનું પ્રતિબંધિત ડ્રગ બનાવવાનું ગેરકાયદેસર ઉત્પાદન શરૂ કર્યું હતું. તેલંગાણા પોલીસની એલીટ એક્શન ગ્રુપ ફોર...
અસામમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ: “કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધું ઝેર પચાવી જઉ છું.”
દરાંગ (અસામ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરાંગ જિલ્લામાં રૂ. 6300 કરોડના હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેમણે દરાંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ અને જીએનએમ સ્કૂલના બાંધકામની શરૂઆત કરી જેમાં રૂ. 570 કરોડનું રોકાણ થવાનું છે. જનસભાને સંબોધતા વડાપ્રધાને પોતાને ભગવાન શિવનો ભક્ત ગણાવ્યો અને કહ્યું કે, “કોઈ મને ગમે...
લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ વખતે રોકાઈ, 151 યાત્રીઓ સુરક્ષિત
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર રવિવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ દરમિયાન અચાનક રનવે પર અટકી ગઈ હતી. કેપ્ટનની સમયસૂચકતા અને તકેદારીને કારણે વિમાનમાં સવાર 151 યાત્રીઓનો જીવ બચી ગયો હતો. આ ફ્લાઈટમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ પણ સવાર હતા. મીડિયા સૂત્રો અનુસાર,...
શાહરૂખ ખાન 30 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડથી સમ્માનિત થશે
બોલીવુડના કિંગ શાહરૂખ ખાન 30 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં પ્રથમ વખત નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત થવા જઈ રહ્યા છે. ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપનાર શાહરૂખ ખાન માટે આ એવોર્ડ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે અત્યાર સુધી તેમણે ઘણા વર્ષો દરમિયાન ફિલ્મી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા મેળવવા છતાં નેશનલ લેવલનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો નથી. ...
પહલગામ પીડિતોનો આક્રોશ: “પાકિસ્તાન સાથે મેચ નહીં, પહેલા અમારા ઘા ભરો”
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો એશિયા કપમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચનો સખત વિરોધ કરી રહ્યા છે. પીડિત પરિવારોનું કહેવું છે કે જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવી ગોળી મારી દીધી હતી, ત્યારે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો યોગ્ય નથી. પહલગામ હુમલામાં પિતા અને ભાઈને ગુમાવનારા સાવન...
નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર
અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં પાણી ભરાયેલા ખાબોચિયામાં વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટનાએ શહેરમાં હલચલ મચાવી દીધી છે. હવે આ કેસમાં ચર્ચા ચાલી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીએ મોટા અધિકારીઓને બચાવવા માટે નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને બલીનો બકરો બનાવી દીધા છે. પોલીસે કોર્પોરેશનના એન્જિનિયર,...









