Category: INDIA

Home » INDIA » Page 16
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ ભારત મુલાકાતે આવી શકે, ક્વાડ સમિટમાં હાજરીની સંભાવના
Post

ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ ભારત મુલાકાતે આવી શકે, ક્વાડ સમિટમાં હાજરીની સંભાવના

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી શકે છે અને ક્વાડ સમિટમાં હાજરી આપી શકે છે. નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરેએ શુક્રવારે જણાવ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠક માટે ભારત આવવાની સંભાવના છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તારીખ હજી નક્કી નથી. ગોરેએ કહ્યું કે, “ક્વાડ બેઠક અંગે ચર્ચા થઈ રહી છે. ચોક્કસ...

ગાઝીપુર લાઠીચાર્જમાં ભાજપ કાર્યકરનું મોત, છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ – મેજિસ્ટ્રેટ તપાસના આદેશ
Post

ગાઝીપુર લાઠીચાર્જમાં ભાજપ કાર્યકરનું મોત, છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ – મેજિસ્ટ્રેટ તપાસના આદેશ

ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં નોનહારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપ કાર્યકર સિયારામ ઉપાધ્યાયના મોત બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘટના બાદ ગાઝીપુરના એસપી ડૉ. ઈરાજ રાજાએ નોનહારા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિત છ પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ આ સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી દોષિતો તપાસને પ્રભાવિત ન...

સુરતમાં નાયબ કાર્યપાલક ઇજનેર 50 હજારની લાંચ લેતા ACB દ્વારા રંગેહાથે ઝડપી લેવાયો
Post

સુરતમાં નાયબ કાર્યપાલક ઇજનેર 50 હજારની લાંચ લેતા ACB દ્વારા રંગેહાથે ઝડપી લેવાયો

સુરત શહેરમાં ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી અંતર્ગત એક મોટું કાંડ બહાર આવ્યું છે, જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઇ પટેલને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવાયો છે. માહિતી મુજબ, ફરિયાદી પાસે ભાટપોર GIDC વિસ્તારમાં આવેલા બે પ્લોટ પર ઔદ્યોગિક હેતુસર બનાવેલા જુના શેડનું ડિમોલિશન કરવાની મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલુ...

ભારત મોરેશિયસને કરશે 655 મિલિયન ડોલરની આર્થિક સહાય, બંને દેશો વચ્ચે 7 મહત્વપૂર્ણ કરારો
Post

ભારત મોરેશિયસને કરશે 655 મિલિયન ડોલરની આર્થિક સહાય, બંને દેશો વચ્ચે 7 મહત્વપૂર્ણ કરારો

ભારતે ગુરુવારે મોરેશિયસ માટે 655 મિલિયન યુએસ ડોલરથી વધુના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સાથે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે 7 મહત્વપૂર્ણ કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોના સંબંધોને માત્ર ભાગીદારી નહીં પરંતુ પરિવારની જેમ માન્યતા આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુક્ત, સ્થિર, ખુલ્લો અને સમૃદ્ધ હિંદ મહાસાગર બંને...

ઉત્તર પ્રદેશ: અપના દળ (S)ની આવકમાં 408% નો ત્રીજો વધારો, મુખ્ય આવક દાન દ્વારા થઈ
Post

ઉત્તર પ્રદેશ: અપના દળ (S)ની આવકમાં 408% નો ત્રીજો વધારો, મુખ્ય આવક દાન દ્વારા થઈ

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 13 સભ્યો ધરાવતી પાર્ટી અપના દળ (S)એ નાણાકીય વર્ષ 2023-24માં પોતાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજા અહેવાલ અનુસાર, પાર્ટીની કુલ આવક 1.1069 કરોડ રૂપિયા પહોંચી છે, જે પહેલાંના નાણાકીય વર્ષ 2022-23ની 0.2178 કરોડ રૂપિયાની આવક કરતા 408.22% વધારે છે. આવકમાં મોટાભાગનો હિસ્સો દાન અને ફાળાઓમાંથી આવ્યો...

કાઠમંડુ જતી સ્પાઈસજેટ ફ્લાઇટમાં ટેલપાઈપમાં આગ, દિલ્હી એરપોર્ટ પર સલામતીના પગલાં લઈને પાછી બોલાવી
Post

કાઠમંડુ જતી સ્પાઈસજેટ ફ્લાઇટમાં ટેલપાઈપમાં આગ, દિલ્હી એરપોર્ટ પર સલામતીના પગલાં લઈને પાછી બોલાવી

દિલ્હી: દિલ્હીના ઈન્ડિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાઠમંડુ જતી સ્પાઈસજેટ ફ્લાઇટ SG041ની ટેકસીંગ દરમિયાન ટેઇલપાઈપમાં આગ લાગવાની જાણ મળતાં તેને તાત્કાલિક સુરક્ષાના પગલાં તરીકે પાછી બોલાવવામાં આવી હતી. એરલાઇનના નિવેદન અનુસાર, 11 સપ્ટેમ્બર 2025ના રોજ ફ્લાઇટ SG041ને પરત બોલાવવામાં આવી કારણ કે જમીન પર રહેલા બીજા વિમાનના પાયલોટે ટેઇલપાઈપમાં આગ લાગવાની માહિતી આપી હતી. કોકપિટમાં...

નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર
Post

નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર

નડિયાદ નગરપાલિકામાં ગુરુવારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની હતી અને પરિસ્થિતિ છૂટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાએ પાલિકાના વાતાવરણમાં અફરાતફરી મચાવી હતી. મળતી માહિતી મુજબ બંને પક્ષના કાર્યકરો પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા માટે નગરપાલિકા કચેરીએ એકઠા થયા હતા. રજૂઆત...

સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા
Post

સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા

પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ગુરુવારે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં રસ્તાની ખરાબ હાલત અંગે ટોલ વસૂલાતને લઈને થયેલા વિવાદ બાદ ટોલ બૂથના કર્મચારીઓએ દાદાગીરી દાખવી પરિવાર પર ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો. થરાદના દિલીપ સાધુ પોતાના પરિવાર સાથે અંજાઈ જવાના હતા...

ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી
Post

ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી

ભારત અને મોરિશિયસ વચ્ચે હવે લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર શક્ય બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના આર્થિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત બનશે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ પોતાના...

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ પદ ખાલી: આચાર્ય દેવવ્રતને વધારાની જવાબદારી સોંપાઈ
Post

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ પદ ખાલી: આચાર્ય દેવવ્રતને વધારાની જવાબદારી સોંપાઈ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા આ પદ ખાલી પડ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આચાર્ય દેવવ્રતને તાત્કાલિક અસરથી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ આ હવાલો ત્યાં સુધી સંભાળશે...