Category: INDIA

Home » INDIA » Page 22
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ
Post

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા...

12000 કરોડના કૌભાંડ કેસમાં મેહુલ ચોક્સીનું બેલ્જિયમથી ભારત પ્રત્યાર્પણની તૈયારી
Post

12000 કરોડના કૌભાંડ કેસમાં મેહુલ ચોક્સીનું બેલ્જિયમથી ભારત પ્રત્યાર્પણની તૈયારી

બેંગલુરુ: પંજાબ નેશનલ બેંકમાં 12,000 કરોડ રુપિયાના કૌભાંડ મામલે આરોપી, 66 વર્ષીય બિઝનેસમેન મેહુલ ચોક્સીનું બેલ્જિયમમાંથી ભારત પ્રત્યાર્પણ થવાનું છે. એન્ટવર્પમાં કાર્યવાહી દરમિયાન ધરપકડ બાદ ભારતે તેમના પ્રત્યાર્પણ માટેના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. ભારતીય વહીવટી તંત્રએ બેલ્જિયમને ખાતરી આપી છે કે, મેહુલ ચોક્સીને મુંબઇ માં માનવ અધિકારોને અનુરૂપ આર્થર જેલમાં રાખવામાં આવશે. ભારતે જણાવ્યું છે...

દુબઈમાં એવોર્ડ સમારોહમાં સુકુમારએ કરી ‘પુષ્પા થ્રી’ની જાહેરાત
Post

દુબઈમાં એવોર્ડ સમારોહમાં સુકુમારએ કરી ‘પુષ્પા થ્રી’ની જાહેરાત

મુંબઈ: દિગ્દર્શક સુકુમારે દુબઈમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓની હિટ ફિલ્મ ‘પુષ્પા ટુ’ પછી હવે ‘પુષ્પા થ્રી’ પર કામ કરશે. આ જાહેરાત ‘પુષ્પા ટુ’ માટે એવોર્ડ સ્વીકારતી વખતે કરવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુન, અભિનેત્રી રશ્મિકા  અને સંગીતકાર દેવિ શ્રી પ્રસાદ પણ હાજર રહ્યા અને તેમણે આ જાહેરાતને...

ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર, રોકાણકારોને મળશે સુરક્ષા અને તેજી
Post

ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર, રોકાણકારોને મળશે સુરક્ષા અને તેજી

ભારત અને ઈઝરાયલ વચ્ચે સોમવારે નવી દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના હેતુથી બંને દેશોમાં રોકાણકારોને સુરક્ષા અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઈઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચે હસ્તાક્ષર કર્યા. ઈઝરાયલના નાણા મંત્રી 8થી 10 સપ્ટેમ્બરે ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર છે. સપાટ મુલાકાત દરમિયાન, સ્મોટ્રિચ ભારતના વાણિજ્ય...

પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ
Post

પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસતા કરાડ ડેમ છલકાઈ ગયો છે અને આથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરાડ ડેમ હવે 142 ફૂટની ભયજનક સપાટીને પહોંચી ગયો છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ થયું છે. તંત્ર દ્વારા ડેમના નીચે આવેલા 24 થી વધુ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે....

સુપ્રીમ કોર્ટે રદ કરી ભાજપની અરજી, કહ્યું- ‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’
Post

સુપ્રીમ કોર્ટે રદ કરી ભાજપની અરજી, કહ્યું- ‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’

સુપ્રીમ કોર્ટે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સામેની અરજીને ફગાવી દીધી છે, જેમાં 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન અનામત મામલે ભાજપ દ્વારા રજૂ કરવામાં આવેલી ટિપ્પણીઓના કારણે તેમના વિરુદ્ધ દાખલ કેસ રદ કરવા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે સોમવારે જણાવ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે રાજકીય લડાઈ માટે મંચ બનવું જોઈએ નહીં....

જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, અભિનેત્રીને મળવા આવ્યો હોવાનો ખુલાસો
Post

જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, અભિનેત્રીને મળવા આવ્યો હોવાનો ખુલાસો

જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડી પાડ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા ગામના રહેવાસી સિરાજ ખાન તરીકે થઈ છે. પ્રારંભિક પૂછપરછમાં ખુલ્યું છે કે સિરાજ ખાન ભારતીય અભિનેત્રી અવનીત કૌરને મળવા માટે ઘૂસણખોરી કરવા આવ્યો હતો. હાલ બીએસએફ અને અન્ય...

વડોદરાની તરૂણનગર સોસાયટી વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ, રહીશો પરેશાન
Post

વડોદરાની તરૂણનગર સોસાયટી વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ, રહીશો પરેશાન

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટી છેલ્લા દસ વર્ષથી ભારે વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. 29 મકાનવાળી આ સોસાયટીમાં મોટાભાગે 70 થી 80 વર્ષની વયના વયોવૃદ્ધ લોકો વસે છે, જેઓને વરસાદી પાણી અને ગટરના બેકમારીને કારણે ઘરમાંથી બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ઘરોમાં...

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ગરબા મહોત્સવ: ઉદયપુરમાં પ્રી-નવરાત્રી, દિલ્હી ખાતે શરદપૂનમે પોસ્ટ-નવરાત્રી ઉજવણી
Post

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ગરબા મહોત્સવ: ઉદયપુરમાં પ્રી-નવરાત્રી, દિલ્હી ખાતે શરદપૂનમે પોસ્ટ-નવરાત્રી ઉજવણી

ગુજરાતના લોકપ્રિય લોકનૃત્ય ગરબા, જેને યુનેસ્કોએ માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા આપી છે, હવે રાજ્યની બહાર પણ રમાડાશે. ગુજરાત સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રથમવાર ઉદયપુર અને દિલ્હી ખાતે વિશાળ ગરબા મહોત્સવ યોજાવાનો છે. આગામી 14 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 7:30 કલાકે ઉદયપુરના ફિલ્ડ ક્લબ ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ 2025”નું ભવ્ય આયોજન...

કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો
Post

કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે મોડી રાતે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરતાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. આ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે, જ્યારે અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....