પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરૂવારે ભારે હોબાળો થયો હતો, જ્યાં શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો મારામારી પર ઉતર્યા. મામલામાં બંગાળ ભાજપના ચીફ વ્હિપ શંકર ઘોષની તબિયત લથડી હતી અને તેમને તરત એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. હોબાળો ત્યારે શરૂ થયો જ્યારે સરકારનો કથિત પ્રવાસીઓ પર અત્યાચાર સંબંધિત પ્રસ્તાવ ચર્ચામાં આવ્યો. મુખ્યમંત્રી મમતા...
GST સુધારા: સિગારેટ-તમાકુ પર 40% GST, બીડી માટે માત્ર 18% – કારણ શું?
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા GST સુધારણા હેઠળ તમાકુ ઉત્પાદનો પર ટેક્સના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. પાનમસાલા, સિગારેટ, ગુટખા, જર્દા અને ધૂમ્રપાન માટેના નિકોટિન ધરાવતા અન્ય તમાકુ ઉત્પાદનો પર હવે 40% GST લાગશે. આ ટેક્સ ફેક્ટરી ભાવની જગ્યાએ રિટેલ કિંમતો પર લાગુ પડશે, એટલે કે ગ્રાહકો જે કિંમતે ખરીદી કરે છે, તેની સીધી...
ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી
અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ આપાયો હતો. રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ આપવાની સૂચના હતી. 5 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ,...
મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ
અમ્બાજી: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓની અદમ્ય શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. ત્રીજા દિવસે, 7.70 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને માથું ઝુકાવ્યું અને મંદિરના ચારચોકમાં “જય માં અંબે” ના નારા ગુંજતા ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું. મહામેળાના પ્રસાદનું વિતરણ એક અનોખી રીતમાં થઈ રહ્યું છે, જ્યાં આદિવાસી સમાજની પરંપરા અને લોકસંગીત સાથે ધાર્મિક શ્રદ્ધાનું...
કન્નૌજમાં કૈશ ખાનની થ્રિલર જેવી ધરપકડ: પડદાની પાછળ છુપાઈ ગયા હતા નેતાજી
કન્નૌજ: કન્નૌજના બાલાપીર મોહલ્લામાં પોલીસ દ્વારા સમાજવાદી પાર્ટીના પૂર્વ ખજાનચી કૈશ ખાનની ધરપકડ થ્રિલર ફિલ્મની જેમ બની ગઈ. પોલીસ પહેલાં કૈશ ખાનના ઘરમાં તપાસ કરવા પહોંચી, પરંતુ તે ત્યાં હાજર નહોતો. ત્યારબાદ પોલીસે તેના ભાઈના ઘરની તપાસ શરૂ કરી. જ્યારે પોલીસની નજર એક રૂમના માળિયા પર મુકાયેલા મોટા અને અજાયબ પડદા પર પડી, ત્યારે આ...
ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી...
NIRF રેન્કિંગ 2025: IIM અમદાવાદ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા
શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં, અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) એ મેનેજમેન્ટ કેટેગરીમાં ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. IIM અમદાવાદ 2020થી સતત છ વર્ષથી દેશની નંબર વન મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ઓળખાય છે. આ વર્ષે IIM બેંગ્લોર બીજા ક્રમે અને IIM કોઝિકોડે ત્રીજા ક્રમે રહ્યા છે....
કુલ્લુમાં ભૂસ્ખલન: બે મકાન ધરાશાયી, એકનો મૃતદેહ મળ્યો, અનેક લોકો દટાયાની આશંકા
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અખાડા બજારમાં ગુરુવારે વહેલી સવારે લગભગ 6 વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ભયાનક દુર્ઘટનામાં બે મકાન ધરાશાયી થઈ ગયા હતા અને કાટમાળ નીચે સાતથી આઠ લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી...
જામનગરમાં રીલ બનાવતા યુવાન ડેમમાં ખાબક્યો, ગ્રામજનોની મદદથી જીવ બચ્યો
જામનગરના વાણીયા ગામ નજીક વાગડિયા ડેમમાં મંગળવારે સાંજે એક યુવાન રીલ બનાવવાના પ્રયાસમાં કાર સાથે ડેમમાં ખાબક્યો. યુવાન એક્સયુવી કારમાં બેઠા હતા અને મોબાઇલ ફોનમાં રીલ બનાવવામાં વ્યસ્ત હતાં. અચાનક કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ, અને ડરના કારણે યુવાન પ્રથમ બુમાબુમ કરીને મુશ્કેલીએ પોતે કારની બહાર નીકળીને ઉપર ચડી ગયો હતો. આ સમયે નજીકના...
અમદાવાદ વસ્ત્રાપુરમાં સરકારી અધિકારીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ ચાલુ
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારી મનોજકુમાર પૂજારા તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા. પુરતી માહિતી અનુસાર તેઓ લોકલ ફંડના નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં એકલા રહેતા હતા. આ ઘટના આજ સવારે સામેન આવી, જ્યારે તેમના ડ્રાઈવરે તેમને લેવા આવ્યા...









