ટાટા સન્સે શુક્રવારે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ નામના એક જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની મુંબઈમાં નોંધણી પૂર્ણ કરી છે. આ ટ્રસ્ટ અમદાવાદમાં Air India ફલાઇટ AI-171ના દુર્ઘટનામાં મૃત અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સમર્પિત છે. ટ્રસ્ટ દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આશ્રિતો, ગંભીર રીતે ઘાયલ થયેલા અને પરોક્ષ રીતે અસરગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક તેમજ લાંબાગાળાની સહાય પૂરી પાડી...
દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની EDએ ધરપકડ કરી છે. દારૂ કૌભાંડ કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આજે સવારે જ્યારે EDની ટીમે દરોડો પાડ્યો ત્યારે ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. બઘેલે ભાજપને ‘સાહેબ’ કહીને સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરી છે....
ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ
ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર જીવલેણ હુમલો કરવાનો...
ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી
વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક પુલ તૂટવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતાં હાઇકોર્ટે પુલના ઇન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરી મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલા અને પછી પુલનું...
સુરતમાં યુવકનો આપઘાત: ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે
સુરતના પુણાગામ વિસ્તારમાં એક 31 વર્ષીય યુવકે ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કર્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ખેતલાઆપા ટી-સ્ટોલ નજીક યુવકે પોતાની બહેનના સસરાને મસાલો લેવા મોકલી આપઘાતનું પગલું ભર્યું. યુવકને આઈસર ટ્રકના ટાયર નીચે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. મૃતક નિલેશ મૂળ...
સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત
કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ પ્રથમ વખત 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મોખરું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સુરતને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ગાંધીનગર અને વડોદરાને પણ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ અપાયા છે. જોકે, કડવી હકીકત એ છે કે ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી ફક્ત 26 શહેરો...
AI-171 દુર્ઘટના: પાયલટ સુમિતે ફ્યુઅલ સ્વિચ બંધ કર્યો હોવાનો અમેરિકી દાવો, ભારતે આક્ષેપોને નકારી કાઢ્યા
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, જે બોઈંગ 787-8 ડ્રીમલાઇનર હતી, અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી ત્યારે ઉડાન ભર્યાની માત્ર સેકન્ડોમાં જ ગુજરાતના ઘન વસતિવાળા વિસ્તારમાં ક્રેશ થઈ. આ ભીષણ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સહિત કુલ 260 લોકોના દયનિય મૃત્યુ થયા, જેને ભારતના હવાઈ ઇતિહાસમાં છેલ્લા ત્રણ દાયકાની સૌથી ભયંકર દુર્ઘટનામાં સ્થાન મળ્યું છે....
SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના વિધાન પરિષદમાં મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે હવે અનુસૂચિત જાતિ (SC)નો પ્રમાણપત્ર માત્ર હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓ માટે જ માન્ય રહેશે. જો અન્ય કોઈ ધર્મના વ્યક્તિએ આ સર્ટિફિકેટ મેળવીને સરકારી સુવિધાઓનો લાભ લીધો હશે તો તે રદ કરવામાં આવશે અને કાયદેસર પગલાં ભરવામાં આવશે. SC સર્ટિફિકેટનો દુરુપયોગ કરનારા...
અમેરિકાએ પહલગામ હુમલા પાછળ જવાબદાર TRFને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જાહેર કર્યું
અમેરિકાના વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO (Foreign Terrorist Organization) અને SDGT (Specially Designated Global Terrorist)ની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ગોળીબાર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો ઘાયલ...
ભારતે પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ઓપરેશનલ ક્ષમતા દર્શાવી
ઓડિશાના તટ પરથી ભારતે ગુરુવારે (17 જુલાઈ) ટૂંકા અંતરની બે પરમાણુ ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ — પૃથ્વી-2 અને અગ્નિ-1 —નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ લોન્ચ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા સંચાલિત હતું અને તમામ ઓપરેશનલ તેમજ ટેકનિકલ માપદંડોને પાર પાડવામાં આવ્યા હોવાનું રક્ષામંત્રાલયે જણાવ્યું. અગ્નિ-1 મિસાઇલ: 700 કિ.મી. સુધીનો વ્યાપ અગ્નિ-1 મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના અબ્દુલ કલામ...









