અમેરિકાના વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO (Foreign Terrorist Organization) અને SDGT (Specially Designated Global Terrorist)ની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ગોળીબાર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો ઘાયલ...
ભારતે પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ઓપરેશનલ ક્ષમતા દર્શાવી
ઓડિશાના તટ પરથી ભારતે ગુરુવારે (17 જુલાઈ) ટૂંકા અંતરની બે પરમાણુ ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ — પૃથ્વી-2 અને અગ્નિ-1 —નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ લોન્ચ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા સંચાલિત હતું અને તમામ ઓપરેશનલ તેમજ ટેકનિકલ માપદંડોને પાર પાડવામાં આવ્યા હોવાનું રક્ષામંત્રાલયે જણાવ્યું. અગ્નિ-1 મિસાઇલ: 700 કિ.મી. સુધીનો વ્યાપ અગ્નિ-1 મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના અબ્દુલ કલામ...
શું ઉત્તર પ્રદેશમાં અખિલેશ-કેજરીવાલ વચ્ચે થશે ગઠબંધન? 2027ની ચૂંટણી પૂર્વે રાજકીય અટકળો તેજ
ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે. રાજ્યમાં મુખ્ય રૂપે સક્રિય સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પહેલેથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી તરફ, ઈન્ડિયા એલાયન્સના સંદર્ભમાં હવે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું અખિલેશ યાદવ આમ આદમી પાર્ટી (AAP)ને પણ ગઠબંધનમાં સામેલ કરશે? અખિલેશનો અત્યાર સુધીનો AAP પ્રત્યેનું...
NATOની ધમકી પર ભારતનો કડક પ્રતિસાદ: રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે ઉર્જા જરૂરિયાતો પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય
રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીના મુદ્દે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારત સહિત કેટલાક દેશોને ચેતવણી આપતાં વિવાદ ઊભો થયો છે. હવે ભારતે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં સત્તાવાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “ભારત પોતાના નાગરિકોની સુરક્ષા અને ઊર્જાની જરૂરિયાતોને હંમેશા પ્રાથમિકતા આપે છે.” તેમણે ઉમેર્યું કે, “અમે રશિયા...
ભારતનું હથિયાર ક્ષમતા તરફ વધુ એક પગલું: લદ્દાખમાં ‘આકાશ પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ
ભારતીય સેનાએ બુધવારે લદ્દાખના ઊંચા પર્વતીય વિસ્તારોમાં સ્વદેશી રીતે વિકસાવેલી ‘આકાશ પ્રાઇમ’ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ કરવામાં આવેલા આ પરીક્ષણમાં મિસાઇલે ઊંચાઈ પર ઊડતાં હવાઈ લક્ષ્યો પર ખૂબ જ સચોટ પ્રહાર કર્યા. આ પરીક્ષણ સંરક્ષણ સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ મોન્ટમેન્ટ બની રહ્યું છે, ખાસ કરીને જ્યારે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં...
ભારતીય બજારમાં અમેરિકાને પૂર્ણ પ્રવેશ મળશે : ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર માટેની ચર્ચાઓમાં નવો વળાંક આપતાં જણાવ્યું છે કે, આ માટે પગલાં યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છે અને સંભવિત કરારથી અમેરિકાને ભારતીય બજારમાં પૂર્ણ પ્રવેશ (ફૂલ એક્સેસ) મળશે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સંબંધો મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે...
સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત
કન્નડ ફિલ્મો સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના ગુનામાં ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) અંતર્ગત એક વર્ષની કાયદેસર જેલસજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય એડવાઇઝરી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. રાન્યા રાવ ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ આ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જામીન અરજીનો અધિકાર નહીં મળે આદેશ...
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે દીકરીનો જન્મ
બોલિવૂડના લોકપ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પ્રથમ સંતાનના જન્મથી ખુશીથી મહેકી ઉઠ્યાં છે. કિયારાએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ આ સમાચાર મળતાની સાથે જ ફેન્સ અને સેલેબ્સ તરફથી તેમને અભિનંદનો મળી રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં કપલે એક તસવીર શેર...
પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ: RTIમાં ચોંકાવનારા ખુલાસા
અમદાવાદના એરપોર્ટ પર તાજેતરમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર તૂટી પડ્યાની ઘટનાએ તોફાન મચાવ્યું છે. આ ઘટનાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ પર વિવાદ ઉભો થયો છે. કેટલાકે આરોપ લગાવ્યો છે કે રિપોર્ટ પાઈલટને જવાબદાર ઠેરવીને બોઈંગ કંપનીને બચાવવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાની વચ્ચે એક આરટીઆઈ અરજીમાં ખુલાસો થયો છે કે...
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી સજા મુલતવી, ભારત સરકારના પ્રયાસો સફળ
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. નિમિષા પર તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહેદીની હત્યાનો આરોપ છે અને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવવાની હતી. પરંતુ ભારત સરકારના સતત પ્રયાસો અને યમન સરકાર સાથે ચાલી રહેલા સંપર્કોના પગલે તે સજા તાત્કાલિક અસરથી અટકાવવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ,...









