ફ્રાન્સમાં ફરી એક વખત વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું છે જેમાં દેશભરના અંદાજે 8 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ વિરોધને કારણે શાળા, રેલવે અને હવાઈ સેવાઓ ખોરવાઈ છે. સરકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે 80 હજારથી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે. આ હડતાળને 2023ના ઐતિહાસિક પેન્શન સુધારણા વિરોધ પછીની સૌથી મોટી ગણવામાં આવી...
જૈશ કમાન્ડરનો મોટો ખુલાસો: મસૂદ અઝહર સંસદ અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કબૂલ્યું
ભારત માટે મહત્વપૂર્ણ એવી એક મોટી કબૂલાત સામે આવી છે, જેમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વરિષ્ઠ કમાન્ડરે સ્વીકાર્યું છે કે સંગઠનના સ્થાપક મૌલાના મસૂદ અઝહર 2001ના દિલ્હી સંસદ હુમલા અને 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો. આ કબૂલાતથી ભારતના વર્ષોથી થતા દાવાઓને વાસ્તવિકતા મળી છે કે અઝહર પાકિસ્તાનની ધરતી પરથી ભારતને નિશાન બનાવતા આતંકવાદી...
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને 75મા જન્મદિવસની આપી શુભેચ્છા, PMએ માન્યો આભાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પર સંબોધી તેમની 75મા જન્મદિવસની શુભેચ્છા આપી. ફોનચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકા વચ્ચેના સશક્ત રાજકીય ભાગીદારી, વૈશ્વિક મુદ્દાઓ અને યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટેની શક્યતાઓ પર વાતચીત કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર...
યુક્રેનને 10 બિલિયન ડૉલરના હથિયારો મોકલશે અમેરિકા અને નાટો, ટ્રમ્પે વ્યક્ત કરી કડક પ્રતિક્રિયા
વોશિંગ્ટન: અમેરિકા અને નાટો દેશોએ યુક્રેનને વિશાળ લશ્કરી સહાય પૂરી પાડવા માટે નવા નાણાકીય કરારને મંજૂરી આપી છે. સૂત્રો મુજબ, આ અંતર્ગત કિવને લગભગ 10 બિલિયન ડૉલરના હથિયારો મોકલવામાં આવશે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકા અને તેના સાથી દેશોએ ‘પ્રાથમિકતા પ્રાપ્ત યુક્રેન રિક્વાયરમેન્ટ્સ લિસ્ટ’ (PURL) સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, જેના માધ્યમે નાટો દેશોના ભંડોળથી...
કેનેડામાં ખાલિસ્તાની જૂથોની ધમકી: વાનકુવર ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ચેતવણી
કેનેડામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોનો વિરોધ ભભૂકી ઉઠ્યો છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) નામના ખાલિસ્તાની જૂથે વાનકુવર ખાતેના ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ધમકી આપી છે. SFJએ ભારતીયોને તે વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી પણ આપી છે. હાલમાં ભારત કે કેનેડિયન સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, SFJએ...
લંડનમાં 1.10 લાખથી વધુ લોકોના એન્ટી-ઈમિગ્રેશન દેખાવ, પોલીસ પર હુમલાના અહેવાલો વચ્ચે ભારે સુરક્ષા ગોઠવણ
લંડનમાં શનિવારે યૂનાઈટ ધ કિંગડમ માર્ચના નામે યોજાયેલા એન્ટી-ઈમિગ્રેશન દેખાવમાં આશરે 1.10 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા. તાજેતરના ઇતિહાસમાં જમણેરી સંગઠનોના આ સૌથી મોટા દેખાવ છે. આંદોલનનું નેતૃત્વ ટોમી રોબિન્સન (અસલ નામ સ્ટીફન યેક્સલી-લેનન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ કૂચને “અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઉજવણી” ગણાવી અને તાજેતરમાં હત્યા થયેલા અમેરિકન જમણેરી નેતા ચાર્લી કિર્કને શ્રદ્ધાંજલિ...
નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની મહિલા વડાપ્રધાન, આજે થશે શપથવિધિ
નેપાળમાં યુવાનોએ Gen-Z આંદોલન દરમિયાન માત્ર બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખ્યા બાદ હવે સત્તા સંક્રમણનો માર્ગ સ્પષ્ટ થયો છે. પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે નિમણૂક આપવામાં આવી. આજે 12 સપ્ટેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં તેઓ શપથ લેશે. સુશીલા કાર્કી નેપાળના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે. આંદોલનમાં, યુવાનોની તીવ્ર હિંસા અને વિરોધની...
ચાર્લી કર્ક હત્યાકાંડ: શંકાસ્પદ આરોપીની ધરપકડ, ટ્રમ્પે કહ્યું- જવાબદારને કડક સજા મળશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી છે કે રાષ્ટ્રવ્યાપી ચર્ચાસ્પદ રૂપમાં જાણીતા રૂઢિવાદી કાર્યકર ચાર્લી કર્કના હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી જાહેર કાર્યક્રમ દરમિયાન સેંકડો દર્શકોની વચ્ચે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી અને સમગ્ર દેશમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું....
અમેરિકાની નેવલ અકેડેમીમાં અંધાધૂંધ ફાયરિંગ, અનેક કેડેટ ઇજાગ્રસ્ત; કેમ્પસ સીલ, સુરક્ષા વધારી
મેરીલેન્ડ રાજ્યના એનાપોલિસ સ્થિત યુએસ નેવલ અકેડેમીમાં ગુરુવારે રાત્રે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની, જેમાં અનેક કેડેટ ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે નેવલ અકેડેમી કેમ્પસ અને નજીકના નેવી બેઝને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યા છે. અમેરિકન નૌસેનાની સપોર્ટ એક્ટિવિટી એનાપોલિસ અને સ્થાનિક કાયદા અમલ એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. સાવચેતીના ભાગરૂપે બેઝને ચારેબાજુથી ઘેરી લેવામાં...
નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પર હુમલો અને લૂંટફાટ, 8 ઈજાગ્રસ્ત; તમામ યાત્રીઓને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા
કાઠમાંડુ નજીક ગુરુવારે (11 સપ્ટેમ્બર) ઉપદ્રવીઓએ ભારતીય યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો અને મુસાફરોના મોબાઈલ ફોન તથા કિંમતી વસ્તુઓ લૂંટી ભાગી ગયા હતા. ઘટનામાં ઓછામાં ઓછા 8 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં મોટા ભાગના યાત્રાળુઓ આંધ્રપ્રદેશના રહેવાસી હતા, જેઓ કાઠમાંડુમાં પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ભારત પરત ફરી રહ્યા...









