અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં એક દિલ દહોળી નાંખે તેવી ઘટના બની છે, જેમાં ભારતીય મૂળના 50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયાની તેમના મોટલમાં કુહાડીથી હત્યા કરી દેવામાં આવી. ઘટના 10 સપ્ટેમ્બરના રોજ ડાઉનટાઉન સ્યુટ્સ મોટલમાં બની હતી, જ્યાં નાગમલ્લૈયાની પત્ની અને પુત્ર પણ હાજર હતા. ડલાસ પોલીસે જણાવ્યું હતું કે આરોપી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ પર હત્યાનો આરોપ...
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ ભારત મુલાકાતે આવી શકે, ક્વાડ સમિટમાં હાજરીની સંભાવના
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી શકે છે અને ક્વાડ સમિટમાં હાજરી આપી શકે છે. નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરેએ શુક્રવારે જણાવ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠક માટે ભારત આવવાની સંભાવના છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તારીખ હજી નક્કી નથી. ગોરેએ કહ્યું કે, “ક્વાડ બેઠક અંગે ચર્ચા થઈ રહી છે. ચોક્કસ...
નેપાળના કાર્યકારી PM પદ માટે કુલમાન ઘિસિંગનું નામ આગળ, Gen-Z આંદોલનકારીઓનો સમર્થન
નેપાળમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિ વચ્ચે દેશના કાર્યકારી વડાપ્રધાન પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ચર્ચામાં છે. સૈના, Gen-Z આંદોલનકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં ઘિસિંગનું નામ સત્તાવાર રીતે આગળ આવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ઘિસિંગનું નામ વડાપ્રધાન પદ માટે આગળ આવ્યું છે. અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને કાઠમંડુ મેયર...
ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ
અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ ‘ટર્નિંગ પોઇન્ટ યુએસએ’ના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી એક ડિબેટ ઈવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ચાર્લી કર્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાર્લીના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને સમગ્ર અમેરિકામાં...
યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ: ટ્રમ્પના નજીકના સાથી ચાર્લી કર્કની ગોળી મારી હત્યા
અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ સંગઠન ટર્નિંગ પોઇન્ટ યુએસએના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની 10 સપ્ટેમ્બરના રોજ દુર્ભાગ્યપૂર્ણ હત્યા થઈ છે. યૂટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલા ડિબેટ ઇવેન્ટ દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. ચાર્લી કર્ક ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સાથી હતા. આ ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમની મૃત્યુની માહિતી આપી...
નેપાળ હિંસા વચ્ચે કાઠમંડુ એરપોર્ટ ફરી શરૂ, મુસાફરોને નવી ફ્લાઇટ માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા સૂચના
કાઠમંડુ: નેપાળમાં હિંસક દેખાવોને કારણે એક દિવસ માટે બંધ કરાયેલું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે ફરી કાર્યરત થઈ ગયું છે. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટી (NCAA)એ જણાવ્યું કે સુરક્ષા સંબંધિત ઉચ્ચસ્તરીય બેઠક બાદ એરપોર્ટ ફરીથી ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCAA દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, “પ્રતિકૂલ પરિસ્થિતિઓને કારણે સ્થગિત કરાયેલી તમામ ફ્લાઇટ્સ...
નેપાળમાં હિંસક Gen-Z આંદોલન વચ્ચે 13 હજારથી વધુ કેદીઓ ફરાર, 30નાં મોત
નેપાળમાં Gen-Z આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરવાથી રાજકીય પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. સત્તા સંકટ અને હિંસાના કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ અને કેબિનેટ મંત્રીઓના ઘરમાં આગ લગાવી દીધી, અને સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના બનાવ થયા. પશ્ચિમ નેપાળમાં નૌબસ્તા રિજનલ જેલના સુધારણા ગૃહમાં સુરક્ષા દળો...
સુશીલા કાર્કી બનશે નેપાળની તાત્કાલિક વડાંપ્રધાન? Gen-Z આંદોલનમાં જોવા મળ્યો નવો વળાંક
નેપાળની રાજનીતિમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ વળાંક જોવા મળી રહ્યો છે. Gen-Z આંદોલનકારીઓ દ્વારા ઓનલાઈન બોલાવવામાં આવેલી બેઠકમાં 5000થી વધુ યુવાનોની હાજરી જોવા મળી હતી, જેમાં સૌથી વધુ સમર્થન પૂર્વ સુપ્રિમ કોર્ટે ચીફ જસ્ટિસ રહી ચુકેલી સુશીલા કાર્કીને મળ્યું છે. આ સમર્થનના કારણે શક્યતા છે કે તાત્કાલિક વડાંપ્રધાન પદનો સત્તાપદ સુશીલા કાર્કી સંભાળી શકે. આંદોલનના પૂર્વ...
નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ
નેપાળમાં રાજકીય અને સામાજિક સંકટ ચરમસીમાએ પહોંચતા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઊભેલા વ્યાપક પ્રદર્શનો દરમિયાન 22 લોકોનાં મોત થયા અને સેંકડો ઘાયલ થયા હતા. આક્રોશિત પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, રાજકીય કાર્યાલયો અને સુપરમાર્કેટમાં આગચંપી કરી હતી, જેના કારણે પરિસ્થિતિ અતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. વધતી...
ફ્રાન્સમાં નવા વડાપ્રધાન સામે લોકોનો બળવો: પેરિસમાં હિંસક પ્રદર્શન, 200ની ધરપકડ
ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતા વધતી જઈ રહી છે કારણ કે દેશમાં ચોથી વાર વડાપ્રધાન બદલાતા જનતા નારાજ છે. બુધવારે પેરિસ સહિત અનેક શહેરોમાં લોકો મોટા પાયે રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર વિરૂદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારોએ રસ્તાઓ અવરોધી નાખ્યા અને અનેક જગ્યાએ જાહેર સંપત્તિને આગ ચાંપી દીધી. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા...









