અમદાવાદમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગૌવંશ જેટલો જ ગંભીર બની ગયો છે. નવા નાણાંકીય વર્ષના પહેલાં ચાર મહિના દરમ્યાન શહેરની વિવિધ વોર્ડ ઓફિસોમાં રખડતા શ્વાનોને લઈને કુલ 3,861 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એક જ મહિના, એટલે કે જુલાઈમાં 1,395 ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે ટોળે વળેલા શ્વાનો વાહન...

