અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં થયેલી દરિયાઈ દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયેલી ત્રણ બોટ તોફાની હવામાનને કારણે જળ સમાધિ લીધી હતી. આ ત્રણ બોટમાં કુલ 28 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 17 માછીમારોને અન્ય બોટ દ્વારા સલામત બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, 11 ખલાસીઓ લાપતા રહ્યા હતા. પાંચ દિવસથી...

