પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાના તિરાહ ઘાટીમાં આવેલા મત્રે દારા ગામમાં રવિવારે રાત્રે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 નાગરિકોના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાએ JF-17 લડાકુ વિમાનમાંથી 8 LS-6 પ્રીસીજન બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે ગામનો મોટો ભાગ સંપૂર્ણ તબાહ થઈ ગયો છે....
