મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કનેક્ટિવિટી સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. એરપોર્ટના ટર્મિનલ 2ને મેટ્રો લાઈન 3 સાથે સીધો જોડતો નવો ફુટ ઓવરબ્રિજ કાર્યરત થઈ ગયો છે. અગાઉ મુસાફરોને એરપોર્ટથી મેટ્રો સ્ટેશન સુધી લાંબું અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે નવા બ્રિજના કારણે માત્ર 118 મીટર ચાલવાથી મેટ્રો સ્ટેશન પહોંચી શકાય...
