નેપાળમાં રાજકીય અને સામાજિક સંકટ ચરમસીમાએ પહોંચતા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઊભેલા વ્યાપક પ્રદર્શનો દરમિયાન 22 લોકોનાં મોત થયા અને સેંકડો ઘાયલ થયા હતા. આક્રોશિત પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, રાજકીય કાર્યાલયો અને સુપરમાર્કેટમાં આગચંપી કરી હતી, જેના કારણે પરિસ્થિતિ અતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. વધતી...
Tag: KP Sharma Oli resignation
નેપાળ હિંસાની અસર ભારતીય સરહદે, દાર્ચુલા-બૈતાડીમાં તોડફોડ અને આગચંપીથી તણાવ
નેપાળમાં ભડકેલી હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલા અને બૈતાડી જિલ્લામાં હિંસક દેખાવો થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને યુએમએલ (એમાલે)ના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી તેમજ આગચંપી કરતા વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઉઠેલી ચિંગારી હવે વિકરાળ બની...
નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક...
નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર
નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને...
નેપાળમાં રાજકીય બળવો: ડેપ્યુટી PM બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો
કાઠમંડુ: નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર કાઠમંડુની ગલીમાં દોડાવી-દોડાવીને હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ભીડે તેમને ઘેરી લીધા બાદ એક પ્રદર્શનકારીએ લાત મારી, જેના કારણે તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ, ગુસ્સાયેલી ભીડે...
36 વર્ષનો સુદન ગુરુંગ: નેપાળના Gen Z આંદોલનનો ચહેરો, જેણે સત્તાના પાયા હચમચાવ્યા
કાઠમંડુ: નેપાળમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા Gen Z આંદોલનના કેન્દ્રમાં 36 વર્ષીય સામાજિક કાર્યકર સુદન ગુરુંગ છે. હામી નેપાળ નામની એનજીઓના સ્થાપક ગુરુંગે દેશભરના યુવાઓને સંગઠિત કરીને ભ્રષ્ટાચાર, અસમાનતા અને સરકાર દ્વારા મૂકાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે લડતને દિશા આપી છે. આંદોલનની શરૂઆત 8 સપ્ટેમ્બરે થઈ, જ્યારે લાખો વિદ્યાર્થી અને યુવાનો એકસાથે રસ્તા પર ઉતર્યા....
નેપાળમાં Gen Z આંદોલન ઉગ્ર, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપતા રાજકીય સંકટ ઘેરાયો
કાઠમંડુ: નેપાળમાં શરૂ થયેલું Gen Z યુવા આંદોલન આજે વિકરાળ સ્વરૂપે ફાટી નીકળ્યું છે. ગઈકાલે પોલીસ ફાયરિંગમાં 20 આંદોલનકારીઓનાં મોત થયા બાદ દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. હિંસક ભીડે સંસદ ભવન, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલનાં નિવાસ તેમજ કેબિનેટ મંત્રીઓના ઘરોમાં આગચંપી કરી હતી. વધતી હિંસા વચ્ચે નેપાળની સેનાએ વડાપ્રધાનને રાજીનામું આપવા દબાણ કર્યું, જેના પગલે વડાપ્રધાન...






