નેપાળમાં Gen-Z આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરવાથી રાજકીય પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. સત્તા સંકટ અને હિંસાના કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ અને કેબિનેટ મંત્રીઓના ઘરમાં આગ લગાવી દીધી, અને સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના બનાવ થયા. પશ્ચિમ નેપાળમાં નૌબસ્તા રિજનલ જેલના સુધારણા ગૃહમાં સુરક્ષા દળો...

