નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને નવેમ્બરમાં ભારતના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનનારા જસ્ટિસ સૂર્યકાંતે તાત્કાલિક સુનાવણીની અપીલ પર કડક ટિપ્પણી કરી છે. રાજસ્થાનમાં એક ઘરની હરાજી અટકાવવા તાત્કાલિક સુનાવણીની માગ સાથે વકીલ શોભા ગુપ્તાએ અપીલ કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય...
Tag: Supreme Court
પરાળી સળગાવાની સમસ્યાએ સુપ્રીમ કોર્ટનું કડક વલણ: “અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે”
દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને સ્પષ્ટ ચેતવણી આપી કે પરાળી સળગાવાની સમસ્યા અટકાવવા માટે કડક પગલાં લેવાં જરૂરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે જો અમુક ખેડૂતોને જેલમાં મોકલવામાં આવે, તો અન્ય ખેડૂતોને સ્પષ્ટ સંદેશ જશે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ...
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી: ફક્ત દિલ્હી-એનસીઆર નહીં, સમગ્ર દેશના લોકોને સ્વચ્છ હવાનો અધિકાર મળવો જોઈએ
સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વધતા પ્રદૂષણના મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સ્વચ્છ હવાનો અધિકાર ફક્ત દિલ્હી-એનસીઆર સુધી મર્યાદિત રહી શકતો નથી, પરંતુ આખા દેશના નાગરિકોને મળવો જોઈએ. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું કે, ગયા વર્ષે શિયાળામાં અમૃતસરની મુલાકાતે ગયાં ત્યારે ત્યાંનું પ્રદૂષણ દિલ્હી...
સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા
નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા...
સુપ્રીમ કોર્ટે રદ કરી ભાજપની અરજી, કહ્યું- ‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’
સુપ્રીમ કોર્ટે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સામેની અરજીને ફગાવી દીધી છે, જેમાં 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન અનામત મામલે ભાજપ દ્વારા રજૂ કરવામાં આવેલી ટિપ્પણીઓના કારણે તેમના વિરુદ્ધ દાખલ કેસ રદ કરવા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે સોમવારે જણાવ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે રાજકીય લડાઈ માટે મંચ બનવું જોઈએ નહીં....
ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી...
સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ખાસ સઘન સંશોધન (SIR) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચે ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી...
જસ્ટિસ વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, ગુજરાતના ત્રણ જજ બન્યા
ભારતના સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાત માટે ગૌરવનો દિવસ રહ્યો છે. ગુજરાતના વતની અને હાલના પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા જસ્ટિસ વિપુલ એમ. પંચોલીએ શુક્રવારે (29 ઓગસ્ટ) દેશની ટોચની અદાલતમાં ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઇએ તેમને પદ અને ગોપનીયતાનો શપથ ગ્રહણ કરાવ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા...
યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે નવા નિયમો બનાવવામા આવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
દેશના યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે હવે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા તમામ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે તૈયાર કરવામાં આવતા દિશાનિર્દેશો કોર્ટમાં રજૂ કરવાના રહેશે. સાથે જ, આ દિશાનિર્દેશો ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NBSA) સાથે ચર્ચા કરીને તૈયાર કરવા સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ...
CJI બી. આર. ગવઈનું નિવેદન: ન્યાય નિર્ણય જનતાના દબાણ કે ઈચ્છાના આધારે ન લેવાયો જાય
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ભૂષણ બી. આર. ગવઈએ શનિવારે ગોવા હાઇકોર્ટ બાર એસોસિએશનમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે, કાર્યપાલિકાને જજની ભૂમિકા ભજવવાની મંજૂરી આપવી બંધારણમાં સમાવિષ્ટ ‘સેપરેશન ઑફ પાવર’ના સિદ્ધાંતને નબળી પાડે છે. તેમણે સુપ્રીમ કોર્ટના તાજેતરના બુલડોઝર કાર્યવાહી સંબંધિત નિર્ણયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ન્યાયાધીશોને કારોબારી તંત્ર બનીને કાર્ય ન કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન...









