ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે મેઘરાજા આવતા બે દિવસ માટે થોડો વિરામ લેશે. 2 અને 3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડશે, જેમાં 2 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 4 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદને કારણે ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
5 અને 6 સપ્ટેમ્બરે રાજ્યના 28થી વધુ જિલ્લાઓમાં યલો અને ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
7 સપ્ટેમ્બરે પણ 27 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply