India national cricket team New selectors: ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ લેફ્ટ-આર્મ ફાસ્ટર રૂદ્રપ્રતાપ સિંહ અને લેફ્ટ-આર્મ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટીમાં સામેલ થવાના છે. જ્યારે એસ. શરથ અને સુબ્રતો બેનર્જી આ પેનલમાંથી બહાર થવાના છે. નેશનલ સિલેક્શન કમિટીના વર્તમાન અધ્યક્ષ અજિત અગરકર છે. રૂદ્રપ્રતાપ સિંહે ભારતના...
Day: September 17, 2025
નો હેન્ડશેક વિવાદ: પાકિસ્તાનની મેચના રેફરી બદલાયા, એન્ડી પાયક્રોફ્ટને બદલે જુઓ કોને સોંપાઈ જવાબદારી
PAK vs UAE Asia Cup 2025: એશિયા કપ 2025માં આજે પાકિસ્તાન અને UAEની ટીમ ટકરાશે, જે સુપર-4માં પહોંચવાની લડાઈ છે. આ મેચમાંથી એન્ડી પાયક્રોફ્ટના સ્થાને રિચી રિચર્ડસનને મેચ રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંગળવારે જ ICC એ પાયક્રોફ્ટને એશિયા કપમાંથી હટાવવાની PCBની માગ ફગાવી દીધી હતી. જોકે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ ટુર્નામેન્ટમાં અન્ય મેચો...
વૈષ્ણોદેવી યાત્રા 22 દિવસ બાદ ફરી શરૂ, અર્ધકુંવરી ભૂસ્ખલન બાદ માર્ગ પુનઃસ્થાપિત
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા હિલ્સ પર સ્થિત માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ 22 દિવસના વિરામ બાદ બુધવારે, 17 સપ્ટેમ્બર, 2025થી ફરી યાત્રાળુઓ માટે ખોલવામાં આવ્યો છે. યાત્રા માર્ગની નવી રીતે પુનઃસ્થાપના સમારકામ ત્રણ અઠવાડિયા થી ચાલી રહી હતી અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસો સફળ રહ્યા. ભક્તો માટે નવરાત્રિ પહેલા આ યાત્રા શરૂ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને 75મા જન્મદિવસની આપી શુભેચ્છા, PMએ માન્યો આભાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પર સંબોધી તેમની 75મા જન્મદિવસની શુભેચ્છા આપી. ફોનચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકા વચ્ચેના સશક્ત રાજકીય ભાગીદારી, વૈશ્વિક મુદ્દાઓ અને યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટેની શક્યતાઓ પર વાતચીત કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સુરતમાં ઇચ્છાનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન, CR પાટીલ જોડાયા
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સદકાર્યો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જન્મદિવસની ઉજવણી ફક્ત બોલીને નહીં પરંતુ કાર્ય થકી કરી રહ્યા છે. રાજ્યભરના અનેક વિસ્તારોમાં આજે સ્વચ્છતા અભિયાન, મેદસ્વિતા મુક્ત અભિયાન, રક્તદાન શિબિર જેવા સક્રિય કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સફાઈ અભિયાન હાથ ધર્યું, જ્યારે...
વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશમાં કરશે જન્મદિવસની ઉજવણી, દેશના પ્રથમ PM મિત્ર પાર્કનો કરશે શિલાન્યાસ
નવા દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના 75મા જન્મદિવસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભૈસોલા ગામે ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ દેશના પ્રથમ PM મિત્ર (Mega Integrated Textile Region and Apparel) પાર્કનો શિલાન્યાસ કરશે. ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન તથા ‘આદિ સેવા પર્વ’નો શુભારંભ કરશે. પીએમના આગમનને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો...
યુક્રેનને 10 બિલિયન ડૉલરના હથિયારો મોકલશે અમેરિકા અને નાટો, ટ્રમ્પે વ્યક્ત કરી કડક પ્રતિક્રિયા
વોશિંગ્ટન: અમેરિકા અને નાટો દેશોએ યુક્રેનને વિશાળ લશ્કરી સહાય પૂરી પાડવા માટે નવા નાણાકીય કરારને મંજૂરી આપી છે. સૂત્રો મુજબ, આ અંતર્ગત કિવને લગભગ 10 બિલિયન ડૉલરના હથિયારો મોકલવામાં આવશે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકા અને તેના સાથી દેશોએ ‘પ્રાથમિકતા પ્રાપ્ત યુક્રેન રિક્વાયરમેન્ટ્સ લિસ્ટ’ (PURL) સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, જેના માધ્યમે નાટો દેશોના ભંડોળથી...
ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર
અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે. હાલમાં...
અમૂલ તેના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડશે, ગ્રાહકોને જીએસટી ઘટાડાનો સીધો લાભ
અમદાવાદ: દેશની અગ્રણી સહકારી સંસ્થા અમૂલએ પોતાના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલે ડેરી ઉત્પાદનો પર કરેલા જીએસટી દરના ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવા માટે આ નિર્ણય લેવાયો છે. અમૂલના ટોચના સૂત્રોએ જણાવ્યું કે આવનારા બે-ત્રણ દિવસમાં ભાવ ઘટાડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને સીધો લાભ મળી શકે...
અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસમાં ઉછાળો, 13 દિવસમાં 200થી વધુ કેસ, 26 વિસ્તારો હોટસ્પોટ જાહેર
અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના ફક્ત 13 દિવસમાં જ 200થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હલચલ મચી છે. ગોમતીપુર, બહેરામપુરા, પાલડી, નવરંગપુરા અને રાણીપ જેવા વિસ્તારોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યૂના કેસોમાં હજુ વધારો થઈ શકે છે. શહેરમાં...









