T20 વર્લ્ડકપ: પાકિસ્તાન સામેની મેચમાં પણ નહીં રમે અભિષેક શર્મા? સૂર્યકુમાર યાદવે આપ્યા સંકેત

Home » Latest Update » T20 વર્લ્ડકપ: પાકિસ્તાન સામેની મેચમાં પણ નહીં રમે અભિષેક શર્મા? સૂર્યકુમાર યાદવે આપ્યા સંકેત
t20-વર્લ્ડકપ:-પાકિસ્તાન-સામેની-મેચમાં-પણ-નહીં-રમે-અભિષેક-શર્મા?-સૂર્યકુમાર-યાદવે-આપ્યા-સંકેત

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News

Google News

Abhishek Sharma and Surya Kumar Yadav

Surya Kumar Yadav On Abhishek Sharma: T20 વર્લ્ડકપ 2026માં ભારત અને નામિબિયા વચ્ચે આજે(12 ફેબ્રુઆરી) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મેચ છે. આ મેચ પહેલા ઘણા ખેલાડીઓ રમશે કે નહીં તેને લઈને અનેક સવાલો હતા. જોકે, નામિબિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર જોવા મળ્યા છે. જેમાં મોહમ્મદ સિરાજ અને અભિષેક શર્મા આ મેચમાંથી બહાર છે. તેમની જગ્યાએ જસપ્રીત બુમરાહ અને સંજુ સેમસનની ટીમમાં એન્ટ્રી થઈ છે. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેની મેચમાં અભિષેક શર્મા રમશે કે નહીં તેને લઈને સંકેત આપ્યા છે.

ટીમ ઈન્ડિયાની બેટિંગ

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કહ્યું કે, “ટીમ પહેલા બેટિંગ કરવા માગે છે અને તે નિર્ણયથી ખુશ છે. જ્યાં સુધી આપણે ટોસ હાર્યા પછી મેચ જીતી શકીએ છીએ, ત્યાં સુધી અમને કોઈ સમસ્યા નથી.” સૂર્યકુમારે સ્વીકાર્યું કે, આ ટુર્નામેન્ટ મોટી છે અને ઝાકળ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરંતુ પહેલા બેટિંગ કરીને અને સ્કોરનો બચાવ કરવાથી ટીમને આત્મવિશ્વાસ મળશે. 

સૂર્યકુમાર યાદવે કહ્યું શું?

ટીમ કોમ્બિનેશન વિશે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે, “અભિષેક શર્મા હજુ સુધી સંપૂર્ણપણે ફિટ નથી અને એક કે બે મેચ મિસ કરશે. તેની જગ્યાએ સંજુ સેમસનને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મોહમ્મદ સિરાજની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં જસપ્રીત બુમરાહને લેવાયો છે.” સૂર્યાના નિવેદનથી સંકેત મળે છે કે, અભિષેક શર્મા 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચમાં પણ રમી નહીં શકે.

આ દરમિયાન, નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે કહ્યું કે, “આંકડા અને ઝાકળની સ્થિતિને ધ્યાનમાં લેતા પહેલા બોલિંગ કરવી એ યોગ્ય છે. તેમણે કહ્યું કે, વિકેટ સારી દેખાય છે અને ટીમ બીજા હાફમાં લક્ષ્યનો પીછો કરવાનો પ્રયાસ કરશે.” જ્યારે નામિબિયાએ આ મેચ માટે બે ફેરફાર કર્યા છે. જેમાં બેન શિકોંગોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે માલન ક્રુગરને વધારાના બેટ્સમેન તરીકે તક આપવામાં આવી છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડકપ ચાલુ જ થતાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! આ 4 ખેલાડીઓની ફિટનેસે વધાર્યું ટેન્શન

દિલ્હી T20 માટે ભારતના પ્લેઈંગ-11: સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.

દિલ્હી T20 માટે નામિબિયાના પ્લેઈંગ-11: લોરેન સ્ટીનકૈંપ, જાન ફ્રાયલિંક, જાન નિકોલ લોફ્ટી-ઈટન, ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જેજે સ્મિટ, ઝેન ગ્રીન (વિકેટકીપર), રુબેન ટ્રમ્પેલમેન, માલન ક્રુગર, બર્નાર્ડ શોલ્ટ્ઝ, બેન શિકોંગો અને મેક્સ હેંગો.

Leave a Reply

Your email address will not be published.